Book Title: Anandnu Upvan
Author(s): Vijaykalyanbodhisuri
Publisher: Akshay Shah Jaimin Jain

View full book text
Previous | Next

Page 10
________________ હતી. સંમતિ મળે એમ નથી તો શ્રેણિક સિવાય બીજાને વરવાની તૈયારી નથી. એટલે વચલો માર્ગ મનમાં ઘડી નાખ્યો. મનના ભાવો ગુપ્તચરને જણાવી દીધા. ગુપ્તસંકેતો થઈ ગયા. વાત જાણી શ્રેણિકનો મનમોરલો નાચી ઉઠ્યો. સુષ્ઠાને અપહરણ કરી લાવવાની યોજના ઘડાઈ ગઈ. સુરંગ ખોદાઈ ગઈ. મિલનના સ્થળ અને સમયનો સંકેત થઈ ગયો. સુજ્યેષ્ઠા પણ સંમત જ હતી. આ સઘળી વાતોથી સુષ્ઠાએ પોતાની બહેન ચેલણાને વાકેફ કરી હતી. નિયત સમયે બહેન ચેલણા સાથે સુયેષ્ઠા Before time આવી પહોચે છે. આતુરતાપૂર્વક શ્રેણિકના આગમનની રાહ જોવાય છે. રાત્રીની નિરવ શાંતિમાં પક્ષીઓના મંદ-મીઠા કલરવો મિલનભાવમાં અધિરાઈ પેદા કરી રહ્યા છે. અહીં એક મહત્વની બીના બને છે. ક્ષણ ક્ષણ શ્રેણિકને યાદ કરતી સુરેખાના મનમાં વિચાર આવે છે, “અરે ! જીવનભર જીવની જેમ જતન કરીને જાળવેલો રત્નનો દાબડો તો ઉતાવળમાં ઘરે જ રહી ગયો. તેના વિના ચેન નહીં પડે. કિંમતિ રત્નાલંકારોની ઉણપ સદા સાલતી રહેશે. લાવ, હજી સમય છે. શ્રેણિક આવ્યા નથી ત્યાં સુધી લઈ આવું.” એક અતિ મહત્વના કાર્યમાં દાગીના યાદ આવી ગયા, જો કે દાગીના યાદ ના આવે તો સ્ત્રી કેમ કહેવાય ? મગધસમ્રાટ પતિ તરીકે મળે છે. શું તેની તિજોરીમાં રત્નોની, અલંકારોની કમી હશે ? ના... પણ કર્મ જ ભાન ભુલાવે છે. ભવિતવ્યતા અન્યથા કરવી અશક્ય છે. દાગીનાનું આકર્ષણ વધ્યું. શાન-ભાન ભુલી દાબડો લેવા સુયેષ્ઠા દોડી ગઈ. ચેલણાને સંકેત સ્થળે જ રાખી. સુષ્ઠાનું ગમન થતાં જ શ્રેણિકનું આગમન થયું. ચલણા પણ રૂપમાં ઓછી ઉતરે એવી ન હતી. રાત્રીનો સમય હતો. નિરવ એકાંત હતો. સંકેતની ભાષામાં જ આગળ વધવાનું હતુ. ચેલણા બોલવા જાય તે પહેલા જ શ્રેણિકે તેને રથમાં બેસાડી દીધી.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 186