Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગવન–હા, ગૌતમ ! સત્ય છે, કૃષ્ણ, નલ અને કાપતલેશ્યામાં ઉત્પન્ન થાય છે, જે વેશ્યાથી યુક્ત બનીને ઉત્પન્ન થાય છે, તેજલેશ્યાથી યુક્ત બનીને ઉદૂવૃત્ત થાય છે. અર્થાત્ કૃષ્ણલેશ્યાવાળા નારક કૃષ્ણલેશ્યાવાળા નારકમાં નાલલશ્યાવાળા નારક નીલલેશ્યાવાળા નારકે માં અને કાપતલેશ્યાવાળ નાક કાપતલેશ્યાવાળા નારકમાં ઉત્પન થાય છે, અને જે લેગ્યામાં ઉત્પન્ન થાય છે. તેઓ એજ શ્યામાં ઉદુવૃત્ત થાય છે.
નારક આદિના વીસ દંડકના કેમે કરી પૂર્વોક્ત રીતિથી પ્રત્યેકની એક-એક લેશ્યા લઈને ઉત્પાદ ઉદ્વર્તનાની ખરૂ પણ પહેલા કરેલી છે, તે પણ ફરીથી વિભિન્ન લેશ્યાવાળા ઘણા બધા નારકેની તે તે ગતિમાં ઉત્પન્ન થયાની સ્થિતિમાં અન્યથા વસ્તુસ્થિતિની સંભાવના કરી શકાય છે, કેમકે એક–એકમાં રહેનારા ધર્મની અપેક્ષાએ સમુદાયને ધર્મ કયાંય અન્ય પ્રકારને પણ જોવાય છે, એ આશંકાને દૂર કરવાને માટે જેમાં જેટલી લેશ્યાઓને સંભવ છે, તેટલી તેટલી બધી વેશ્યાઓને લઈને પૂર્વોક્ત વિષયનું જ સામૂહિક રૂપથી પુનઃ પ્રતિપાદન કર્યું છે.
તેના અનુસાર પુનઃ કહે છે-હે ભગવદ્ ! શું કૃષ્ણલેશ્યાવાળા યાવત્ તેજલેશ્યાવાળા અસુરકુમાર કૃષ્ણલેશ્યાવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય છે? અને શું તે કૃણૂલેશ્યાથી લઈને તેજલેશ્યાવાળા અસુરકુમારેથી ઉદ્ભવૃત્ત થાય છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–જેવું નારકેનું પ્રતિપાદન કરેલું છે તેવું જ અસુરકુમાર યાવત્ નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિદ્ય-કુમાર, ઉદધિકુમાર, દીપકુમાર, દિકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર ભવનપતિના કથન પણ સમજી લેવાં જોઈએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શું કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાતિલેશ્યા અથવા તેજલેશ્યાવાળા પૃથ્વીકાયિક કૃષ્ણલેશ્યા, નીલલેશે, કપિલેશ્યા અગર તેજલેશ્યાવાળા પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે ? અને શું જે વેશ્યાથી યુક્ત થઈને ઉત્પન્ન થાય છે, એજ લેશ્ય થી યુક્ત થઈને ઉદ્દવૃત્ત થાય છે? એ પ્રકારે જેવી પૃચ્છા અસુકુમારના વિષયમાં કરાઈ છે તેવી જ આહીં પણ સમજવી જોઈએ.
શ્રી ભગવાન–હે ગૌતમ! સત્ય છે, કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાયિક કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાયિકમાં, નીલલેશ્યાવાળા નીલલેશ્યાવાળા પૃથ્વીકાયિકમાં કાપોતલેશ્યાવાળા પૃથ્વીકાયિક કાપતલેશ્યાવાળા પૃથ્વીકાયિકમાં અને તેજલેશ્યાવાળા પૃથ્વીકાયિક તેલેશ્યાવાળા પૃથ્વીકાધિ. કોમાં ઉત્પન્ન થાય છે. પરંતુ ઉદૂવર્તનાના વિષયમાં એવો નિયમ નથી. કે જે લેશ્યાથી યુક્ત થઈને ઉત્પન્ન થાય તે જલેશ્યાથી યુક્ત થઈને ઉદ્વર્તન કરે તેથી જ તે કૃષ્ણલેશ્યામાં ઉત્પન થનારા કેહવાર કૃષ્ણલેશ્યામાં ઉવૃત્ત થાય છે, કેઇવાર નીલેશ્યામાં, કેઈવાર કાપતલેશ્યામાં ઉદ્દવૃત્ત થાય છે. અહીં એ ધ્યાન રાખવું જોઈએ કે પૃથ્વીકાચિક જીવ તેલશ્યામાં ઉત્પન્ન થાય છે પણ તે લેશ્યાવાળા થઈને ઉદ્વર્તન નથી કરતા એનું કારણે પહેલા બતાવી દિધેલું છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૬૪