Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ગૌતમસ્વામી- હે ભગવદ્ ! અનન્તરાગત પંકપ્રભા પૃથ્વીના નારક એક સમયમાં કેટલી અન્તક્રિયા કરે છે
શ્રીભગવાન હે ગૌતમ! જઘન્ય એક, બે અથવા ત્રણ પંકપ્રભાના અનન્તરાગત નારક એક સમયમાં અન્તક્રિયા કરે છે, ઉત્કૃષ્ટ ચાર એક સમયમાં અનક્રિયા કરે છે. 1 શ્રી ગૌતમસ્વામી-હે ભગવદ્ ! અનન્તરાગત અસુરકુમાર એક સમયમાં કેટલી અન્તક્રિયા કરે છે?
ભગવાન–હે ગૌતમ! જઘન્ય એક બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ દસ અનન્તરાગત અસુરકુમાર એક સમયમાં અંતક્રિયા કરે છે.
ગૌતમસ્વામી-હે ભગવન ! અનન્તરાગત અસુરકુમાર એક સમયમાં કેટલી અંતક્રિયા કરે છે ?
શ્રીભગવાન ગૌતમ! જઘન્ય એક, બે અગર ત્રણ અને ઉત્કૃષ્ટ, પાંચ અનcરાગત અસુરકુમાર દેવિ એક સમયમાં અન્તક્રિયા કરે છે. એ જ પ્રકારે જેમ દેવિ સહિત અસુરકુમારની વક્તવ્યતા કહી છે, એ જ પ્રકારે નાગકુમારે, સુવર્ણકુમારે, અગ્નિકુમાર, વિધુતકુમાર, ઉદધિકુમારે, દ્વીપકુમાર, દિશાકુમારે, વાયુકુમારે, અને સ્વનિતકુમારની પણ દેવિ સહિત વક્તવ્યતા કહેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! અનન્તરાગત પૃથ્વીકાયિક એક સમયમાં કેટલી અન્તક્રિયા કરે છે?
શ્રી ભગવત્ હે ગૌતમ ! જઘન્ય એક, બે અગર ત્રણ, ઉત્કૃષ્ટ ચાર અનન્તરાગત પ્રવીકાયિક એક સમયમાં અન્તકિયા કરે છે. એ જ પ્રકારે અનન્તરાગત અપ્રકાયિક પણ જઘન્ય એક, બે અગર ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર એક સમયમાં અન્તકિયા કરે છે. અનન્ત. રાગત વનસ્પતિકાયિક જઘન્ય એક, બે અગર ત્રણ અને ઉત્કૃષ્ટ છે એક સમયમાં અન્તક્રિયા કરે છે. અનન્તરાગત પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રિ જઘન્ય એક, બે અગર ત્રણ અને ઉત્કૃષ્ટ દસ એક સમયમાં અન્તક્રિયા કરે છે. અનન્તરાગત મનુષ્ય સ્ત્રિ જઘન્યથી એક બે અગર ત્રણ અને ઉત્કૃષ્ટ વીસ એક સમયમાં અંતક્રિયા કરે છે. અનન્તરાગત વાન-વ્યન્તર જઘન્ય એક, બે અગર ત્રણ અને ઉત્કૃષ્ટ દશ એક સમયમાં અન્તક્રિયા કરે છે. અનન્તરાગત વાનવ્યન્તર દેવિ જવન્ય એક, બે અને ત્રણ ઉત્કૃષ્ટ પાંચ એક સમયમાં અન્તક્રિયા કરે છે. અનારા ગત તિષ્ક જઘન્ય એક, બે અગર ત્રણ અને ઉત્કૃષ્ટ દશ અન્તક્રિયા કરે છે. અનન્તરાગત તિક ચિયે જઘન્ય એક, બે અગર ત્રણ અને ઉત્કૃષ્ટ વીસ એક સમયમાં અંતક્રિયા કરે છે. અનન્તરાગત વૈમાનિક જઘન્ય એક, બે યા ત્રણ અને ઉત્કૃષ્ટ એકસે આઠ એક સમયમાં અન્તક્રિયા કરે છે. વૈમાનિક દેવિયે જઘન્ય એક, બે યા ત્રણ અને ઉત્કૃષ્ટ વીસ એક સમયમાં અન્તકિયા કરે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૭૫