Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકા–પહેલાં અસંજ્ઞી જીવની દેવામાં ઉત્પત્તિ કહેલી છે, પરંતુ ઉત્પાત આયુના દ્વારા જ થાય છે. તેથી જ તેના આયુનું અહીં પ્રતિપાદન કરાય છે
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! અસંજ્ઞનું આયુ કેટલા પ્રકારનું કહ્યું છે?
શ્રીભગવાન-હે ગૌતમ! અસંજ્ઞનું આયુ ચાર પ્રકારનું કહ્યું છે. તે આ પ્રકારે છે (૧) નેરેયિકનું અસંસી આયુ (૨) તિર્યએનિનું અસંસી આયુ (૩) મનુષ્ય અસંસી આયુ અને (૪) દેવાસી આયુ અસંજ્ઞી થતે જીવ પરભવના એગ્ય જે આયુને બંધ કરે છે. તે અસંસી આયુષ્ય કહેવાય છે. એ પ્રકારે નરયિકને યેગ્ય સંજ્ઞનું આયુ નૈરયિકાસણી આયુષ્ય કહેવાય છે. એ પ્રકારે તિયનિક અસંજ્ઞી–આયું અને મનુષ્ય અસંજ્ઞી-આયુ, દેવાસંજ્ઞ–આયુ પણ સમજી લેવું જોઈએ કે અસંજ્ઞી અવસ્થામાં ભેગવાતું આયુ પણ અસંજ્ઞી આયુ કહેવાય છે. કિંતુ અહીં તેની વિરક્ષા કરાયેલી નથી. તેથી જ તેની વિશેષ પ્રરૂપણાના માટે આ કહેલું છે.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન શું અસંજ્ઞી જીવ નરકાયું યાવત્ દેવાયુને અર્થાત્ નરકાયુ તિર્યંચાયુ. મનુષ્પાયુ તેમજ દેવાયુનું ઉપાર્જન કરે છે?
શ્રીભગવાહે ગૌતમ! અસંજ્ઞી જીવ નરકાયુનું તિર્યંચયુનું અને દેવયુનું પણ ઉપાર્જન કરે છે. અગર અસંસી જીવ નરકાયુનું ઉપાર્જન કરે તે જઘન્ય દશહજાર વર્ષનું આયુ ઉપાર્જન કરે છે, આ કથન રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ પાઘડાની અપેક્ષાથી સમજવું જાઈએ. યદિ ઉત્કૃષ્ટ નરકાયુનું ઉપાર્જન કરે તે પોપમના અસંખ્યાતમાં ભાગ નું આયુ ઉપાર્જન કરે છે આ કથન રત્નપ્રમાં પૃથ્વીના ચોથા થડાના મધ્યમ સ્થિતિવાળા નારકની અપેક્ષાર્થી સમજવું જોઈએ રત્નપ્રભા પૃથ્વીના પહેલા પાથડામાં દશહજાર વર્ષની જઘન્ય સ્થિતિ છે અને નેવું હજાર વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. બીજા પાથડામાં દશલાખ વર્ષની જઘન્ય અને નેવુ લાખ વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ત્રીજા પાથડામાં પણ જઘન્ય સ્થિતિ નેવું લાખ વર્ષની અને ઉત્કૃષ્ટ કેટિ પૂર્વની છે. ચોથા પાથડામાં જઘન્ય પૂર્વ કેટિની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમના દશ ભાગની છે. તેથી જ અહીં પલ્યોપમના અસંખ્યામાં ભામની સ્થિતિ મધ્યમ સમજવી જોઈએ.
અઝી જવ તિર્યંચાયુનું પણ ઉપાર્જન કરે છે. અગર તે તિર્યંચાયુનું ઉપાર્જન કરે તે જઘન્ય અતમુહૂર્તનું અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુ ઉર્જિત કરે છે એ પ્રકારે મનુષ્યાયુપણ બાંધે છે. મનુષ્પાયુને બંધ કરતા જઘન્ય અન્તર્યુ હતું અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનો બંધ કરે છે. અસંજ્ઞીજીવ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૦૪