Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અપ્રકાયિકેના શરીરનો આકાર પણ સમુચ્ચય અપુકાચિકેના સમાન સ્તિબુકબિન્દુ જેવો હોય છે. એ જ પ્રકારે અપૂકાયિક એકેન્દ્રિય પછી સૂક્ષમ હોય કે પછી બાદર હોય, પર્યાપ્ત હાય અગર અપર્યાપ્ત હોય, બધાના શરીરનો આકાર સ્તિબુકબિન્દુના સમાન જ હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! તેજસ્કાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કેવા આકારવાળા કહેલા છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! તેજસ્કાયિક એકેન્દ્રિયના ઔદારિક શરીર સૂચકલાપના આકારના હોય છે, અર્થાત્ જેવો સેના સમૂહને આકાર હોય છે તે જ તેજસ્કાયિક એકેન્દ્રિય–જેના ઔદ્યારિક શરીરને આકાર છે. સૂમ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત તેજસ્કાયિકોના ઔદ્યારિક શરીરનું સંસ્થાન પણ સૂચકલાપના જેવું જ સમજવું જોઈએ.
વાયુકાયિકના દારિક શરીરનું સંસ્થાન પતાકાના આકારનું છે, અર્થાત્ દવાનો જે આકાર હોય છે, તે જ વાયુકાયિકના દરિફશરીરને પણ હેય છે. એ જ પ્રકારે સમવાયકાયિકો, બાદરવાયુકાયિક, પર્યાપ્ત વાયુકાયિક તથા અપર્યાપ્ત વાયુકાયિકના દારિક શરીરના સંસ્થાન પણ પતાકા જેવા હોય છે.
વનસ્પતિકાયિક એકેન્દ્રિયના દારિકશરીર વિવિધ સંસ્થાનેવાળા હોય છે, તેમને કોઈ એક નિયત આકાર નથી. સૂમ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તના દારિક શરીરનું પણ આજ પ્રકારે સમજવું જોઈએ. તાત્પર્ય એ છે કે વનસ્પતિકાયિક કે સૂમ હેય. પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત, તેમના શરીરને આકાર વિવિધ પ્રકાર હોય છે, બધાના આકાર એક સરખા નથી દેતાં. દેશના ભેદથી જાતિના ભેદથી અને કાળ આદિના ભેદથી તેમના આકારમાં ભિન્નતા હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! દ્વીન્દ્રિય જીવોના ઔદ્યારિક શરીર કેવા આકારના હોય છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ! દ્વીન્દ્રિયના દારિક શરીર હંડક સંસ્થાનના હોય છે. એક વિશેષ પ્રકારનું પક્ષી જેના શરીરમાં રૂંવાડાં નથી હતાં અને જે બટેર નામથી પ્રસિદ્ધ છે તે હુંડ કહેવાય છે. એના સરખે આકાર હંડ સંસ્થાન કહેવાય છે. દ્વીન્દ્રિયનાં શરીર હંડ સંસ્થાનવાળાં જ હોય છે. ચાહે તે પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત હેય.
એજ પ્રકારે ત્રીન્દ્રિયેના અને ચાર ઈન્દ્રિયના ઔદારિક શરીરના સંસ્થાન પણ હુંડક જ હોય છે, તે પછી પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત હોય. બધાના સંસ્થાન હંડક જ સમજવાં જોઈએ. ફલિતાર્થ એ છે કે, બધા વિલેન્દ્રિયના દારિક શરીરને આકાર હંડક જ હોય છે પછી તે દ્વીન્દ્રિય હોય, ત્રીન્દ્રિય હોય, અથવા ચતુરિન્દ્રિય હોય.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! પંચન્દ્રિય તિનિકોના ઔદારિક શરીર કેવા આકારના હોય છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૧૯