Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રીભગવાન શૌતમ ! સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે, અસંખ્યાત વર્ષની આયુકાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર નથી હોતાં.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! યદિ સંખ્યાત વર્ષની આયુવાળા કર્મનાભૂમિના ગર્ભજ મનુષ્યના આહારશરીર હોય છે, તે શું પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના હોય છે અથવા અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે?
શ્રીભગવા– ગૌતમ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુ વાળા કર્મભૂમિના ગર્ભાજ મનુષ્યના આહારકશરીર હોય છે, અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર નથી હોતાં.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! યદિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારશરીર હોય છે તે શું સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે. અગર મિથ્યાદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે અથવા સમ્યમિથ્યાષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના અ હારકશરીર હોય છે? - શ્રીભગવાન હે ગૌતમ! સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે, મિથ્યાષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર નથી હોતાં અને ન સમ્યમિથ્યાષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની યુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! યદિ સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની અયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે તે શું સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે, અથવા અસંયત સમ્યગદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે અથવા શું સંયતાસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહાર શરીર હોય છે ?
જે સમસ્ત સાવઘ વ્યાપારથી સમ્યક્ પ્રકારે ઉપરત થઈ ગએલ છે, તે સંવત છે. આવ્યુત્પત્તિના અનુસાર સકલ ચારિત્રવાનું સંયત કહેવાય જે સંયત ન હોય તે અસં. યત છે અસંયત સમ્યગ્દષ્ટિનું તાત્પર્ય અવિરત સમ્યગ્દષ્ટિ છે. દેશવિરતિવાળા સંય. તાસંયત કહેવાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૬૬