Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રીભગવાન્ હે ગૌતમ ! સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે, અસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર નથી હતાં અને સંયતાસંયત સમ્યટષ્ટિ પર્યાપત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના પણ આહારક હેતા નથી.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન ! યદિ સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે, તે શું પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુ વાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે અથવા અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા fભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે.
મેહનીય આદિકર્મોના ઉદયથી સંજવલન કષાય. નિદ્રા આદિ કોઈ પણ પ્રમાદના વેગથી જે પ્રમાદને પ્રાપ્ત થાય, તે પ્રમત્ત કહેવાય છે. આ વ્યુત્પત્તિના અનુસાર પ્રાયઃ ગચ્છવાસી મુનિ પ્રમત્ત કહેવાય, કેમ કે તેમાં કયાંક કયાંક ઉપગ શૂન્યતાને સંભવ છે. જે પ્રમાદથી રહિત હોય તેઓ અપ્રમત્ત કહેવાય છે. તેઓ પ્રાયઃ અત્કાલિક પરિહાર વિશુદ્ધિક યદાલંદકલ્પિક તથા પ્રતિભાધારી સમજવા જોઈએ, કેમ કે તેઓ સદા ઉપગ યુક્ત રહે છે.
શ્રીભગવાન-ગૌતમ! અપ્રમત્ત સંત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે, પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર નથી હોતાં.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્ ! યદિ અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે તે શું અદ્ધિ પ્રાપ્ત અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુ ગના આહારકશરીર હોય છે અથવા જે અદ્ધિ પ્રાપ્ત નથી એવા અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે?
આમષધિ આદિરૂપ ઋદ્ધિયે જેમને પ્રાપ્ત થાય, તે ઋદ્ધિ પ્રાપ્ત કહેવાય છે, અને જેને કઈ દ્ધિપપ્ત ન હોય તે અનુદ્ધિ પ્રાપ્ત કહેવાય છે,
ભગવાન-હે ગૌતમ! અદ્ધિપ્રાપ્ત અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે. અનુદ્ધિ પ્રાપ્ત અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને આહારકશરીર નથી દેતાં.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૬૭