Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________ કેમ કે તે એક હાથની જ હોય છે. તેની અપેક્ષાએ દારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગુણી છે, કેમ કે તે કાંઇક અધિક એક હજાર જનની હેય છે. ઔદારિક શરીરની અવગાહનાની અપેક્ષાએ ક્રિયશરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગુણી હોય છે. કેમ કે તેનું પ્રમાણ કાંઈક અધિક એક એક લાખ એજનનું છે. તેજસ અને કાર્માણશરીરની અવગાહના પરસ્પરમાં તુલ્ય છે પણ ક્રિયશરીરની ઉત્કૃષ્ટ અવગાહનાથી અસંખ્યા ગુણી છે, કેમ કે તેનું પ્રમાણ ચૌદ રાજૂનું છે. જાત્કૃષ્ટ અવગાહનાને વિચાર કરાયતે બધાથી ઓછી ઔદારિક શરીરની જઘન્ય અવગાહના હોય છે. તેજસ અને કાર્માણશરીરની જઘન્ય અવગાહના અંદરોઅંદર સરખી છે, પરંતુ દારિક શરીરની જઘન્ય અવગાહનાની અપેક્ષાએ વિશેષાધિક છે. તેજસ અને ફાર્મ શરીરની જઘન્ય અવગાહનાથી વૈક્રિયશરીરની જઘન્ય અવગાહના અસંખ્યાતગણું છે. આહારશરીરની જઘન્ય અવગાહનાની અપેક્ષાએ તેની અર્થાત આહારકશરીરની ઉત્સુટ અવગાહના વિશેષાધિક છે. તેની અપેક્ષાએ દારિશરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગણી અવિક છે. તેની અપેક્ષાએ વૈક્રિયશરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગણી અધિક છે. તેજસ અને કામણશરીરની ઉત્કૃષ્ટ અવગાહના આપસમાં તુલ્ય છે કિન્તુ વૈકિ. યશરીરની અપેક્ષાએ અસંખ્યાતગણી હોય છે. યુક્તિ તે પહેલાં કહેવાઈ ગએલી છે. જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયાધિની વ્યાખ્યામાં એકવીસમું પદ સમાપ્ત કેરા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : 4 292