Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દિશાને આશ્રય કરી રહેલે હોય; ત્યારે તે ઊર્વ દિશાએથી પણ પુલોનું ચયન કરે છે, તેથી જ તે પાંચ દિશાઓથી ચયન કરે છે. તેને માટે ફક્ત દક્ષિણ દિશા જ અલકથી વ્યાપ્ત રહે છે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવદ્ ક્રિયશરીરના પુદ્ગલેનું ચયન કેટલી દિશાઓથી થાય છે?
શ્રીભગવાન-હે ગૌતમ ! વૈકિય શરીરના પુગલ નિયમથી છએ દિશાઓથી આવીને ચયને પ્રાપ્ત થાય છે, કેમ કે વૈક્રિયશરીર ત્રસનાડીની અંદર જ હોઈ શકે છે, ત્રસનાડીની બહાર વૈક્રિયશરીરને સંભવ નથી.
એજ પ્રકારે આહારકના વિષયમાં સમજવું જોઈએ, અર્થાત્ આહારકશરીરના પુદુંગલેનું ચયન પણ છએ દિશાએથી થાય છે, કેમ કે આહારકશરીર પણ ત્રસનાડીમાં જ સંભવે છે. કિન્તુ તૈજસ અને કાર્મણશરીરના પુદ્ગલેનું ચયન દારિક શરીરના સમાન સમજવું જોઈએ. એનું કારણ એ છે કે તૈજસ અને કામણશરીર બધા સંસારી જીના હોય છે. તેથી જ જેમ વ્યાઘાત ન થવાથી દારિક પુદ્ગલેના ચયન છએ દિશાએથી થાય છે, વ્યાઘાત થાય તે કદાચિત ત્રણ દિશાઓથી, કદાચિત્ ચાર દિશાએથી અને કદાચિત પાંચ દિશાઓથી થાય છે, તે જ પ્રકારે તૈજસ અને કામણ શરીરના પુદ્ગલેના ચયનના સમ્બન્ધમાં સમજી લેવું જોઈએ,
આ પ્રકારે પુદ્ગલેના ચયનનું નિરૂપણ કરીને હવે તેમના ઉપગ્ય અને અપચયની પણ પ્રરૂપણ કરાય છે
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! ઔદારિક શરીરના પુડ્રગલ કેટલી દિશાઓથી આવીને સ્વયંઉપચયને પ્રાપ્ત થાય છે? પ્રભૂતરૂપથી ચય છે તે ઉપચય કહેવાય છે.
શ્રીભગવાન-હે ગૌતમ! જેવું પુદ્ગલેના ચયના વિષયમાં કહ્યું છે. તેવું જ ઉપચયના સમ્બન્ધમાં પણ કહેવું જોઈએ. ઔદારિક, વૈક્રિયક, આહારક, તેજસ અને કાર્પણ આ બધા શરીરને ઉપચય સમજી લેવાં જોઈએ,
આ પ્રકારે દારિક શરીરના પદુગલોને વ્યાઘાત ન થતાં એ દિશાએથી ઉપચય થાય છે. વ્યાઘાત થતાં કદાચિત્ ત્રણ દિશાઓથી કદાચિત ચાર દિશાઓથી અને કદાચિત પાંચ દિશાએથી ઉપચય થાય છે. વૈક્રિય અને આહારકશરીરના પુગલોના ઉપચય નિયમથી છએ દિશામાં થાય છે.
તૈજસ અને કામ થશરીરના પુદ્ગલેનો ઉપચય યાઘાત ન થવાની સ્થિતિમાં છએ દિશાઓથી થાય છે અને જે બાઘાત થાય તે કદાચિત્ ત્રણ, કદાચિત્ ચાર અને કદાચિત પાંચ દિશાઓથી ઉપચય થાય છે. એ પ્રકારે દારિક આદિ પાંચે શરીરના પુદ્ગલ ઉપચિત પણ થાય છે અને અપચિત પણ થાય છે. અપચયને અર્થ છે પુદ્ગલોને હાસ (નાશ) થ, અર્થાત્ કતિ પય પુદ્ગલોનું દારિક શરીર આદિથી નિકળવું, ઘટવું, દર થવું આ અપચય ઉપચયના સમાન જ સમજવું જોઈએ,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૮૫