Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પંચેન્દ્રિય તિય ચામાં તથા મનુષ્યમાં જેમ કેઈ નારક ઉત્પન્ન થાય છે, કોઈ નથી ઉત્પન્ન થતા એજ પ્રકારે કઈ પૃથ્વી કાયિક ઉત્પન થાય છે કેઈ ઉત્પન્ન નથી થતા, પરંતુ જેવીરીતે નારકે નારકે અને દેવોમાં ઉત્પન્ન નથી થતા. એજ પ્રકારે પૃથ્વીકાયિક પણ વાતવ્યન્તર, જતિષ્ક અને વૈમાનિક દેવોમાં ઉત્પન નથી થતા. એ સમ્બન્યમાં પણ યુક્તિ પૂર્વવત્ સમજવી જોઈએ.
આ પ્રકારે જેવી પૃથ્વીકાયિકની વક્તવ્યતા કહી એ પ્રકારે અપ્રકાયિક અને વનસ્પતિકાયિકની પણ વક્તવ્યતા સમજી લેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! શું તેજસ્કાયિક જીવ તેજસ્કાયિકાથી નિકળીને સીધા નારકમાં ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, પૂર્વોક્ત યુક્તિના અનુસાર તેજસ્કાયિક જીવ મરીને નરકમાં ઉત્પન્ન નથી થતા. એજ પ્રકારે તેજસ્કાયિક અનન્તર ઉદ્વર્તન કરીને અસુરકુમારોમાં, નાગકુમારેમાં, સુવર્ણકુમારમાં, અગ્નિકુમારોમાં, દ્વીપકુમારમાં, દિશાકુમારીમાં, પવનકુમારામાં તથા સ્વનિતકુમારોમાં પણ ઉત્પન્ન નથી થતા. કઈ તેજસ્કાયિક, પૃથ્વીકાયિકમાં અપ્રકાયિકમાં, તેજસ્કાયિામાં, વનસ્પતિકાયિકમાં, ઢીદ્ધિમાં, ત્રીન્દ્રિમાં તેમ જ ચતુરિન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. કેઈ નથી ઉત્પન્ન થતા.
- શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જે તેજરકાયિક પૃથવીકાયિકોથી લઈને ચતુરિન્દ્રિ સુધીમાં ઉત્પન્ન થાય છે. શું તે કેવલી પ્રરૂપિત ધર્મને શ્રવણ કરવામાં સમર્થ થાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! શું તેજસ્કાયિક જીવ ઉદ્વર્તન કરીને સીધા પંચેન્દ્રિય તિર્યામાં ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવન–હે ગૌતમ! કોઈ કે ઉત્પન્ન થાય છે, કેઈ કઈ ઉત્પન્ન નથી થતા. - શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જે ઉત્પન્ન થાય છે તે શું કેવલી દ્વારા પ્રરૂપિત ધર્મને શ્રવણ કરવામાં સમર્થ થાય છે?
શ્રી ભગવાન - ગૌતમ ! કેઈ તેજસ્કાયિક ઉદ્વર્તનના પછી પંચેન્દ્રિય તિયામાં ઉત્પન્ન થઈને કેવલી ભગવાન દ્વારા ઉપદિષ્ટ ધર્મને શ્રવણ કરવામાં સમર્થ થાય છે, કઈ સમર્થ નથી પણ થતા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન જે તેજસ્કાયિક પંચેન્દ્રિય તિર્યચનિમાં ઉત્પન્ન થઈને કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરવામાં સમર્થ થાય છે, શું તે કેવલ બેધીને જાણી શકે છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
१८६