Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પિની કાળની સમય રાશિના બરાબર સમજવા જોઈએ. ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લકાકાશ પ્રદેશના બરાબર છે-કહ્યું પણ છે
અસંખ્યાત ઉત્સર્પિણીઓ અને અવસપિણિએના જેટલા પ્રદેશ હોય છે તેટલા જ વેશ્યાઓના સ્થાન અર્થાત્ વિકલપ છે
કૃષ્ણલેશ્યાના સમાન બધી વેશ્યાઓના એ જ પ્રકારે અસંખ્યાત સ્થાન જાણવા જોઈએ, પણ વિશેષતા એ છે કે કૃષ્ણ, નીલ અને કાપિત નામક ભાવ લેશ્યાઓના સ્થાન સંકલેશરૂપ હોય છે અને તેલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલેશ્યાઓનાં સ્થાન વિશુદ્ધ હોય છે.
આ ભાવલેશ્યાઓના કારણભૂત કૃષ્ણાદિ દ્રવ્ય સમૂહ પણ સ્થાન કહેવાય છે, અહીં તેમનું ગ્રહણ સમજવું જોઈએ, કેમકે આ ઉદ્દેશકમાં કૃષ્ણાદિ વેશ્યા દ્રવ્યનું જ પ્રરૂપણ કરાઈ રહ્યું છે. તે સ્થાને પ્રત્યેક વેશ્યાઓના અસંખ્યાત હોય છે. એક જ પરિણામના નિમિત્તભૂત અનન્ત દ્રવ્ય પણ એક જ પ્રકારના અધ્યવસાયનું કારણ હોવાથી એક કહેવાય છે. તેમાંથી પ્રત્યેક જઘન્ય અને ઉત્કૃષ્ટના ભેદથી બે પ્રકારના હોય છે. જઘન્ય વેશ્યા સ્થાન રૂપ પરિણામના નિમિત્ત હોય તેઓ જઘન્ય કહેવાય છે અને ઉત્કૃષ્ટ વેશ્યા સ્થાનરૂપ પરિણામના જે નિમિત્ત હોય તેઓ ઉત્કૃષ્ટ સ્થાન કહેવાય છે. જે જઘન્ય સ્થાનના સમીપવતી મધ્યમ સ્થાન છે, તેમને સમાવેશ જઘન્યમાં થઈ જાય છે અને જે ઉત્કૃષ્ટ સ્થાનના નિકટવતી છે, તેમને ઉત્કૃષ્ટમાં અન્તર્ભાવ થાય છે. એક–એક પોતપોતાના સ્થાનમાં પરિણામ ગુણભેદથી અસંખ્યાત છે. જેમ જપાકુસુમ આદિ ઉપાધિથી સ્ફટિક મણિમાં પણ રક્તતા ઉત્પન્ન થાય છે. અગર જપાકુસુમમાં જઘન્ય ગુણ રક્તતા અર્થાત્ ઓછામાં ઓછી લાલિમાં થાય તે સ્ફટિકમાં પણ જઘન્ય ગુણરક્તતા પ્રતીત થાય છે, અગર જ પાકુસુમમાં એક ગુણ અધિક રક્તતા થાય તે સ્ફટિકમાં પણ એક ગુણ અધિક જઘન્ય રક્તતાની પ્રતીતિ થાય છે. એ પ્રકારે એક એક ગુણની વૃદ્ધિથી જઘન્ય રક્તતામાં અસંખ્યાત સ્થાન (ભેઢ) હોય છે. ગુણમાં અભ્યતાથી તેઓ બધા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૦૦