Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! ભારત અને અરવત ક્ષેત્રના મનુષ્યની કેટલી વેશ્યાઓ કહી છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! ભરત અને અરવત ક્ષેત્રના મનુષ્યની છ લેશ્યાઓ કહી છે, તેઓ આ પ્રકારે છે-કૃષ્ણલેશ્યા યાવત્ નીલલેશ્યા, કાપતલેશ્યા, તેજલેશ્યા, પદુમલેશ્યા અને શુકલેશ્વા એજ પ્રકારે ભારત અને અરવત ક્ષેત્રની મનુષ્ય સ્ત્રિની પણ છ વેશ્યાઓ કહેલી છે.
પૂર્વ વિદેહ અપરવિદેહ કર્મભૂમિજ મનુષ્યની હે ભગવન્! કેટલી લેશ્યાઓ કહેલી છે?
ભગવાન-હે ગૌતમ! છ લેશ્યાઓ, તેઓ આ પ્રકારે છે-કૃષ્ણ યાવત્ શુકલ એજ પ્રકારે મનુષ્ય સ્ત્રિની પણ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! અકર્મભૂમિગ મનુષ્યની કેટલી લેશ્યાઓ કહી છે?
શ્રી ભગવાન્ ! હે ગૌતમ ! ચાર લેસ્થાઓ કહી છે, તેઓ આ પ્રકારે-કૃષ્ણલેશ્યા યથાવત્ નીલલેશ્યા, કાપતલેશ્યા અને તેજલેશ્યા એજ પ્રકારે અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિની પણ ચાર વેશ્યાઓ હોય છે. અન્તરદ્વીપ જ મનુષ્યની અને મનુષ્ય સ્ત્રિની પણ અકર્મભૂમિના મનુષ્યની સમાન કૃષ્ણ, નીલ, કાપત અને તેજ આ ચાર વેશ્યાઓ હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! એ પ્રકારે હૈમવત અને હૈરણ્યવત અકર્મભૂમિના મનુષ્યો અને મનુષ્ય સ્ત્રિને કેટલી લેશ્યાઓ હોય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! હૈમવત અરે હૈરણ્યવત અકર્મભૂમિના મનુષ્યો અને ચિને ચાર લેશ્યાઓ કહી છે, તેઓ આ પ્રકારે છે–પૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાતિલેશ્યા અને તેજલેશ્યા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! હરિવર્ષ, રમ્ય વર્ષ, અકર્મભૂમિના મનુષ્ય અને મનુષ્ય સ્વિયેની કેટલી વેશ્યાઓ હોય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! હરિવર્ષ અને રમ્યકવર્ષ અકર્મભૂમિના મનુષ્ય અને મનુષ્ય સિની ચાર લેશ્યાઓ કહી છે. તેઓ આ પ્રકારે છે-કૃષ્ણ યાવત્ તેજલેશ્યા, દેવકુફ અને ઉત્તરકુરૂ અકર્મભૂમિના મનુષ્યની એજ પ્રકારે ચાર વેશ્યાઓ હોય છે. આ ક્ષેત્રોમાં મનુષ્ય સ્ત્રોમાં પણ એ ચાર લેશ્યાઓ મળી આવે છે.
ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધભાગમાં અને પશ્ચિમર્ધભાગમાં પૂર્વવત્ યથાયોગ્ય લેશ્યા સંબંધી કથન સમજી લેવું જોઈએ એજ પ્રકારે પુષ્કરદ્વીપમાં પણ અકર્મભૂમિ અને કર્મભૂમિના મનુષ્યની પૂર્વવત્ લેશ્યાઓ જાણવી જોઇએ. અર્થાત્ ધાતકીખંડ અને પુષ્કરદ્વીપમાં કર્મભૂમિના મનુષ્ય અને મનુષ્ય સ્ત્રિની છ લેશ્યાઓ તથા અકમદ્ભૂમિના મનુષ્યો અને સ્ત્રિની ચાર લેશ્યાઓ હોય છે.
શ્રી ગૌતમસ્વામ–હે ભગવન શું કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૧૨