Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન ! દેવ કેટલા કાળ સુધી નિરન્તર દેવ બની રહે છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! જેવું નારકના વિષયમાં કહ્યું, તેવું જ દેવના વિષયમાં કહી લેવું જોઈએ. અર્થાત્ નારકના સમાન જ દેવની પણ જઘન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની કાયસ્થિતિ છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! દેવી કેટલા સમય સુધી નિરતર દેવી બની રહે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષ સુધી, ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમ સુધી દેવી, દેવીના રૂપમાં કાયમ રહે છે. દેવેની કાયસ્થિતિનું પરિમાણ ભવસ્થિતિના અનુસાર જ સમજવું જોઈએ. દેવિયોની ભાવસ્થિતિ ઉત્કૃષ્ટ પંચાવન પપમની કહેલી છે. તેથી જ તેમની ભાવસ્થિતિ પણ પંચાવન પત્યેમની જ કહેવી છે, કાયસ્થિતિનું આ પરિમાણુ એશાન દેવિયેની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. ત્યાંના શિવાય બીજી દેવીની એટલી સ્થિતિ સંભવિત નથી.
શ્રી ગૌતમસ્વામી-ડે ભગવદ્ ! સિદ્ધ કેટલા કાળ સુધી સિદ્ધ પર્યાયથી યુક્ત રહે છે?
શ્રી ભગવાન હે ગૌતમ! સિદ્ધ જીવ સાદિ અનન્ત હોય છે, સિદ્ધ પર્યાયની આદિ છે પણ અત નથી. સિદ્ધપર્યાય અક્ષય છે. ૨ગાદિ દોષ જ જન્મમરણનું કારણ છે અને તે સિદ્ધ જીવમાં હેતાં નથી, કેમકે રાગદ્વેષનાકારણ ભૂત કર્મોને તેઓ સર્વથા ક્ષય કરી દે છે.
શ્રી શૈતમસ્વામી–હે ભગવન્! નારકજીવ અપર્યાપ્ત નારક પણુથી કેટલા સમય સુધી બની રહે છે?
શ્રી ભગવાન છે ગૌતમ ! નારકજીવ અપર્યાપ્ત નારકપણાથી જઘન્ય અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂત સુધી રહે છે, તેની કાયસ્થિતિ અન્તર્મુહૂર્તની જ છે, કેમકે અપર્યાપ્ત અવસ્થા અન્તર્મુહૂર્તથી અધિક કાળ સુધી રહેતી નથી. અન્તર્મુહૂર્ત પછી પર્યાપ્ત અવસ્થા પ્રારંભ થઈ જાય છે. એ જ પ્રકારે તિર્યાનિક, તિર્યંચની, મનુષ્ય, મનુષ્ય, સ્ત્રી, દેવ અને દેવિની–બધાની અપર્યાપ્ત અવસ્થા અતર્મુહૂર્ત સુધી રહે છે, તેથી જ આ બધાની જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પણ અન્તર્મુહૂર્તની જ હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! પર્યાપ્ત નારક કેટલા કાળ સુધી પર્યાપ્ત નારક પર્યાયવાળા બની રહે છે?
શ્રી ભગવા–હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત એાછા દશ હજાર વર્ષ સુધી અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા તેત્રીસ સાગરોપમ સુધી પર્યાપ્ત નારક, પર્યાપ્ત નારકના રૂપમાં સતત રહે છે.
અહીં આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે નારકની જે સમગ્ર સ્થિતિ છે, તેમાંથી અપર્યાપ્ત અવસ્થાનું એક અન્તર્મુહૂર્ત ઓછું કરી દેવાથી પર્યાપ્ત અવસ્થાની ભવસ્થિતિ હોય છે. અને નારકની જે ભવસ્થિતિ છે, તેજ તેની કાયસ્થિતિ પણ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૧૯