________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
१ स्थानाध्ययने स्कंधविशेषस्य एकत्वम् ५२-५६ सूत्राणि હોવાથી જેમ પાદ (પારા)ના એક કર્થ વડે ચારિતા-ખવાયેલા (મિશ્રણ થયેલા) સુવર્ણના સાત કર્યો તે એક કર્મીભૂત થાય છે અને ફરી પ્રયોગ વડે અલગ કરવાથી સાત જ કર્ષ સુવર્ણ થાય છે. બનાવ સંવેક્નપસોઢા='તિ પુદ્ગલોનું અનંત પ્રદેશાવગાહીપણું જ નથી, કારણ કે લોકપ્રમાણરૂપ અવગાહ ક્ષેત્રનું પણ અસંખ્યય પ્રદેશપણું છે. હવે કાલથી કહે છે' સમu'ત્યાદ્રિ પરમાણુત્વાદિ વડે એકપ્રદેશાવગાઢાદિત્વ વડે અને એકગુણ કાળાદિત્ય વડે એક સમય સુધી જ રહેવાનું છે જેઓને તે એકસમય સ્થિતિવાળા કહેવાય છે. તેઓની વર્ગણા એક છે. પ્રસ્તુત પ્રસંગમાં પુદ્ગલોનો અનંત સમયની સ્થિતિનો અભાવ હોવાથી અસંવેમ્બરમતીયા મિયૂરું અર્થાત્ અસંખ્યાત સમયની સ્થિતિ કહી છે. હવે ભાવથી વર્ણવે છે-'I WIT'ત્યા—િએકથી ગણવું (તાડન કરવું) છે જેઓને તે એકગુણ. એકગુણ કેટલા વર્ણ છે જેને તે એકગુણ કાળા. જેઓથી એકગુણ આરંભીને તરતમતાથી કૃષ્ણતર, કૃષ્ણતમ વગેરે ભાવોની પહેલાં ઉત્કર્ષની (દ્વિગુણકાલક વગેરેની) પ્રવૃત્તિ થાય છે. તેઓની વર્ગણા એક છે. એવી રીતે સર્વે ભાવ સૂત્રો બસો સાઠ પ્રમાણવાળા કહેવા. કૃષ્ણવર્ણાદિ વીશ ભાવોને તેર વડે ગુણવાથી તે થાય છે. હવે પ્રકારતર વડે જઘન્યાદિ ભેદથી ભિન્ન દ્રવ્યાદિ વિશિષ્ટ સ્કંધોની વર્ગણાનું એકપણ કહે છે–'T નન્નપસિયાન'ત્યાદ્રિ સર્વથી થોડા પ્રદેશો-પરમાણુઓ છે જેઓને તે જઘન્ય પ્રદેશિકો, દ્ધિપ્રદેશ વગેરે અણુઓના સમુદાયો તે સ્કંધો, તેઓની ઉત્કૃષ્ટ સંખ્યાવાળા અનંત અણુઓ છે જેઓને તે ઉત્કૃષ્ટ પ્રદેશિકો, તેઓની વર્ગણા એક છે. જે જઘન્ય નહિ અને ઉત્કૃષ્ટ પણ નહિ તે અજઘન્યઉત્કૃષ્ટ (મધ્યમ) પ્રદેશો છે જેઓને તે અજઘન્યઉત્કૃષ્ટ પ્રદેશિકો, તેઓની વર્ગણા એક છે. મધ્યમપ્રદેશિક સ્કંધોની અનંત વર્ગણા છતે પણ અજઘન્યઉત્કૃષ્ટ શબ્દના કથનથી વર્ગણાનું એકપણું છે. (૧) નન્નો IITIIT'fઅત્યાર સવ'હિંતે—જેમાં જે રહે છે તે અવગાહના. તે ક્ષેત્ર (આકાશ) પ્રદેશરૂપ આ જઘન્ય અવગાહના છે જેઓને તે, અહિં સ્વાર્થમાં ‘ક’ પ્રત્યય થવાથી જઘન્ય અવગાહનકા–જઘન્ય અવગાહનાવાળા, તેઓની (એકપદેશાવગાઢોની) વર્ગણા એક છે, ઉત્કૃષ્ટઅવગાહનકોની–અસંખ્યાતપ્રદેશાવગાઢોની વર્ગણા એક છે. અજઘન્યઉત્કૃષ્ટઅવગાહનકોની–સંખ્યાત-અસંખ્યાતપ્રદેશાવગાઢોની વર્ગણા એક છે. (૨) સમયની અપેક્ષાએ જઘન્ય સંખ્યાવાળી સ્થિતિ છે જેઓને તે જઘન્યસ્થિતિકો-એક સમયની સ્થિતિવાળા સ્કંધો તેઓની વર્ગણા એક છે. સમયની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સંખ્યાવાળી સ્થિતિ છે જેઓને તેઓની–અસંખ્યાત સમયની સ્થિતિવાળાઓની વર્ગણા એક છે. મધ્યમસ્થિતિકોનું સૂત્ર સુગમ છે (૩). જઘન્ય સંખ્યા વિશેષરૂપ એક વડે ગણવું છે જેને તે એકગણ કાળો, તે એકગણ કાળો વર્ણ છે જેઓને તે જઘન્યગણ કાળા વર્ણવાળા સ્કંધોની વર્ગણા એક છે. એવી રીતે ઉત્કૃષ્ટગુણ કાળા વર્ણવાળા-અનંતગુણ કાળા કંધોની વર્ગણા એક છે. ત્રીજું સૂત્ર સુગમ છે (૩). એવી રીતે સાઠ ભાવસૂત્રો વિચારવા (૪). IN૧||
સામાન્યથી ઢંધોની વર્ગણાના એકપણાના અધિકારથી જ મધ્યમપ્રદેશ વિશિષ્ટ મધ્યમપ્રદેશાવગાઢવાળા અંધવિશેષનું એકપણું કહે છે– एगे जंबूद्दीवे २ सव्वदीवसमुद्दाणं जाव अद्धंगुलगंच किंचिविसेसाहिए परिक्खेवेणं ।। सू० ५२।। एगे समणे भगवं महावीरे इमीसे ओसप्पिणीए चउव्वीसाए तित्थगराणं चरमतित्थयरे सिद्धे बुद्धे मुत्ते जाव सव्वदुक्खप्पहीणे ।। सू० ५३।। 1. એક કર્ષ વજન ન હોવા છતાં પણ એક કર્ષ થાય છે. કર્ણ તે હાલમાં એક રૂપિયાભાર-તોલો કહેવાય છે. 2. એકથી માંડી દશ સંખ્યા પર્વત દશ અને સંખ્યાત, અસંખ્યાત તથા અનંત એમ ૧૩ સૂત્ર જાણવા. 3. પોતપોતાની વર્ગણામાં જઘન્ય વર્ગણાઓનું અનેકપણું હોવાથી દ્વિઅણુકાદિકો કહેલ છે, પરંતુ ત્રિપ્રાદેશિક મધ્યમ કહેવાય છે. 4. ત્રિપ્રદેશિક સ્કંધથી માંડી યાવતું એકપ્રદેશશૂન્ય ઉત્કૃષ્ટપ્રદેશિક સ્કંધો મધ્યમ-જાણવા. 5. વર્ણાદિ ૨૦ ને જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ પદ વડે ગણવાથી ૬૦ ભાવસૂત્ર થાય છે. 6. ચારના અંક સુધી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વર્ગણાનું સ્વરૂપ કહેલું છે.
52