Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 472
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्था. उ. ४ पुष्करसंवर्ताद्या मेघपुरुषाः, करण्डकपुरुषा वृक्षमत्स्यगोलपकटाः चतुष्पदाद्याः पश्चिभिक्षूनिष्कृष्टाद्याः ३४७-३५२ सूत्रम् બે ચાર પ્રકારના ચતુષ્પદો (ચોપગા પશુ) કહેલા છે, તે આ પ્રમાણે—૧. એક ખુરવાળા તે અશ્વાદિ, ૨. તે બરવાળા ગાય પ્રમુખ, ૩. ગંડીપદા–એરણના જેવા પગવાળા તે હાથી પ્રમુખ અને ૪. સનખપદા-હોરવાળા–સિંહ વગેરે. (૩૪) ચાર પ્રકારના પક્ષીઓ કહેલા છે, તે આ પ્રમાણે—૧. ચર્મપક્ષી—ચામડાની પાંખવાળા–તે વાગોળ પ્રમુખ, ૨. લોમપક્ષી–રુંવાળાની પાંખવાળા–હંસ પ્રમુખ, ૩. સમુદ્ગકપક્ષી–બીડાયેલી પાંખવાળા, ૪. વિતતપક્ષી–ઉઘાડેલી (ખુલ્લી) પાંખવાળા. ત્રીજા તથા ચોથા પ્રકારના પક્ષી અઢી દ્વીપની બાહર છે. (૩૫) ચાર પ્રકારના ક્ષુદ્ર પ્રાણીઓ કહેલા છે, તે આ પ્રમાણે—બેઈદ્રિયો, તેઇંદ્રિયો, ચૌરિંદ્રિયો અને સંમૂર્ચિચ્છમ પંચેંદ્રિય તિર્યંચયોનિકો. (૩૬) Iસૂ૦ ૩૫૦ ચાર પ્રકારના પક્ષી કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક પક્ષી માળાથી બહાર નીકળે છે પણ ફરવાને સમર્થ નથી, ૨. કોઈક ફરવાને સમર્થ છે પણ માળાથી બહાર નીકળતું નથી, ૩. કોઈક બહાર નીકળે છે અને ફરે પણ છે અને ૪. કોઈક બહાર નીકળતું નથી અને ફરતું પણ નથી. (૩૭) આ દૃષ્ટાંતે ચાર પ્રકારના સાધુઓ કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક સાધુ ભિક્ષા માટે નીકળે છે પણ ફરતા નથી, ૨. કોઈક સાધુ ફરવાને સમર્થ છે પણ ભિક્ષા માટે નીકળતા નથી, ૩. કોઈક નીકળે છે અને ફરે છે અને ૪. કોઈક ભિક્ષા માટે નીકળતા નથી અને ફરતા નથી. (૩૮) IR૦ ૩૫૧ ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક પુરુષ તપથી પ્રથમ કૃશ શરીરવાળો છે અને પછી તપ કરવાથી દૃશ શરીરવાળો છે, ૨. કોઈક પ્રથમ સ્થૂલ શરીરવાળો છે પણ પછીથી તપ વડે કૃશ શરીરવાળો છે, ૩. કોઈક પ્રથમ કૃશ શરીરવાળો છે પણ પછીથી સ્થૂલ શરીરવાળો છે અને ૪. કોઈક પ્રથમથી સ્થૂલ શરીરવાળો અને પછીથી પણ સ્થૂલ શરીરવાળો છે. (૩૯) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક પુરુષ કૃશ શરીરવાળો છે અને કૃશ-આત્મા-પાતળા કષાયવાળો છે, ૨. કોઈક કૃશ શરીરવાળો છે પણ સ્થૂલ આત્માબહુલકષાયવાળો છે, ૩. કોઈક સ્થૂલ શરીરવાળો છે પણ કૃશઆત્મા-પાતલા કષાયવાળો છે, ૪. કોઈક સ્થૂલ શરીરવાળો અને સ્થૂલઆત્મા–બહુકષાયવાળો છે. (૪૦) ચાર પ્રકારના પુરુષોઁ કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક પુરુષ બુધ–સત્આક્રિયાવાળો અને વિવેકવાળો છે, ૨. કોઈક સક્રિયાવાળો છે પણ વિવેકવાળો નથી, ૩. કોઈક સક્રિયાવાળો નથી અને વિવેકવાળો છે અને ૪. સતક્રિયાવાળો નથી અને વિવેકવાળો પણ નથી. (૪૧) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક પુરુષ બુધ-શાસ્ત્રજ્ઞ છે અને બુધહૃદય–કાર્યમાં ચતુર છે, ૨. કોઈક શાસ્ત્રજ્ઞ છે પણ કાર્યમાં ચતુર નથી, ૩. કોઈક શાસ્ત્રજ્ઞ નથી પણ કાર્યમાં ચતુર છે અને ૪, શાસ્ત્રજ્ઞ નથી અને કાર્યમાં ચતુર પણ નથી. (૪૨) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક પુરુષ પોતાની અનુકંપાનો કરનાર છે પરંતુ બીજાની અનુકંપાનો કરનાર નથી તે પ્રત્યેકબુદ્ધાદિ, ૨. કોઈક બીજાની અનુકંપાનો કરનાર છે પણ પોતાની અનુકંપા કરતો નથી તે તીર્થંકરાદિ, ૩. કોઈક બન્નેની અનુકંપાનો કરનાર તે સ્થવિકલ્પી, ૪. કોઈક બન્નેની અનુકંપાનો કરનાર નથી તે કાલસૌકરિકાદિ. (૪૩) ૩૫૨॥ (ટી૦) 'પુનવત્તે' ત્યાદ્રિ 'શેમાં વાસેĪ' તિ॰ એક વૃષ્ટિ વડે ભાવિત કરે છે–ઉદકના સ્નેહ (ચીકાશ) વાળી ભૂમિને ક૨ે છે અર્થાત્ ધાન્ય વગેરેને ઉત્પન્ન કરવામાં સામર્થ્યવાળી કરે છે. જિમ્ડ મેઘ તો ઘણા વખત વરસવા વડે એક વર્ષ પર્યંત ભૂમિને ભાવિત–ચીકાશવાળી કરે છે અથવા તેના જલનું રૂક્ષપણું હોવાથી રસવાળી કરતો નથી. આ વર્ણન પછી પુરુષના અધિકારથી મેઘના અનુસારે પુરુષો પુષ્કલાવર્ત્ત વગેરેની સમાન જાણવા. તેમાં એક જ વખતના ઉપદેશ વડે અથવા દાન વડે ચિરકાલ પર્યંત પ્રાણીને શુભ સ્વભાવવાળો અથવા સમૃદ્ધિવાળો જે કરે છે તે આદ્ય મેઘ (પુષ્કળાવર્ત) સમાન જાણવો, એવી રીતે અલ્પતર અને અલ્પતમ કાળની અપેક્ષાએ ક્રમશઃ દ્વિતીય અને તૃતીય મેઘ સમાન છે. અનેક વખત ઉપદેશાદિ વડે પ્રાણીને અલ્પ કાળ પર્યંત ઉપકારને કરતો થકો અથવા ન કરતો થકો ચતુર્થ મેઘ સમાન છે. (૧૫) કરંડક-વસ્ત્ર અને આભરણ વગેરે રાખવાનું સ્થાન, 460

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520