________________
४ स्थानकाध्ययने उद्देशः ३ यान-युग्यसारथिप्रभृतिचतुर्भगीका ३२० सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
ક્રિયાવાળો, આતાપનાને લેનારો અને સમિતિ સહિત છે તે ધર્મનો આરાધક થાય છે. ચાર પ્રકારની સાધ્વીઓ કહેલી છે, તે આ પ્રમાણે–રાત્નિકા (દીક્ષાપયે મોટી) શ્રમણી-નિગ્રંથીઓ સાધુઓની જેમ ચાર પ્રકારે કહેવી. ચાર પ્રકારના શ્રમણોપાસકો કહેલા છે, તે આ પ્રમાણે–રાત્મિક (મોટો) શ્રમણોપાસક, મહાકર્મવાળો ઈત્યાદિ ચાર પ્રકારે ભાંગા કહેવા. ચાર પ્રકારની શ્રમણોપાસિકા કહેલી છે, તે આ પ્રમાણે–રાત્નિકા (મોટી) શ્રમણોપાસિકા, મહાકર્મવાળી
ઈત્યાદિ પૂર્વોક્ત પ્રકારે ગમા (ભાંગા) કહેવા. ll૩૨all (ટી.) 'વત્તાની' ત્યાદિ આ સરલ છે. વિશેષ એ કે-ચાન (ગાડા) વગેરે, તે બળદ વગેરેથી જોડલું. વળી યુક્ત-સમગ્ર સામગ્રી વડે સહિત અથવા પ્રથમ પણ જોડેલું અને પછી પણ જોડેલું આ એક, બીજું બળદ વડે જોડેલું પરંતુ સામગ્રી વડે રહિત હોવાથી અયુક્ત, એમ ત્રીજો અને ચોથો ભાંગો પણ જાણવો. પુરુષ તો ધનાદિ વડે યુક્ત, વળી યોગ્ય અનુષ્ઠાન વડે યુક્ત અથવા સજ્જનો વડે યુક્ત અથવા પ્રથમ પણ ધન અને ધર્મના અનુષ્ઠાન વગેરેથી યુક્ત અને પછી પણ યુક્ત ૧, એમ ચાર ભાંગા કરવા. અથવા દ્રવ્યલિંગ વડે યુક્ત અને ભાવલિંગ (ચારિત્ર) વડે યુક્ત તે પ્રથમ સાધુ, દ્રવ્યલિંગ વડે યુક્ત પણ ભાવલિંગ વડે યુક્ત નહિં તે બીજો નિદ્વવાદિ, દ્રવ્યલિંગ વડે રહિત પરંતુ ભાવલિંગ વડે યુક્ત તે ત્રીજો પ્રત્યેકબુદ્ધ વગેરે અને બન્ને લિંગથી રહિત તે ચોથો ગૃહસ્થાદિ. એવી રીતે બીજા સૂત્રો પણ જાણી લેવા. વિશેષ એ કે-બળદો વડે યુક્ત (જોડેલું) અને યુક્તપરિણત સામગ્રી વડે પ્રથમ રહિત થકો યુક્તપણાએ પરિણત (તૈયાર) પુરુષ પૂર્વવત્ જાણવો. યુક્તરૂપ-સંગત સ્વભાવવાળું અથવા પ્રશસ્ત (સુંદર) યુક્ત તે યુક્તરૂપ છે. પુરુષપક્ષમાં ધનાદિ વડે યુક્ત અથવા જ્ઞાનાદિ ગુણ વડે યુક્ત, અને યુક્તરૂપ- ઉચિત વેષ અથવા સુવિહિત સાધુના વેષ વડે યુક્ત. તથા યુક્ત પૂર્વવત્ તેમજ જોડેલું છતું શોભે છે અથવા જોડેલાની શોભા છે જેને તે યુક્તશોભ. પુરુષ તો ગુણો વડે યુક્ત અને ઉચિત છે શોભા જેને તે યુક્તશોભ. યુગ્ય-અશ્વાદિવાહન અથવા ગૌડદેશમાં ચોરસ બે હાથના પ્રમાણવાળું અને વેદિકાન્સહિત શોભતું તે યુગ્મક કહેવાય છે, તે વડે યુક્ત બેસવાની સામગ્રી વડે પણ (પલાણ) વડે સહિત, વળી વેગ વગેરેથી યુક્ત, એવી રીતે યાન (ગાડા વગેરે)ની જેમ વ્યાખ્યા કરવા યોગ્ય છે. એ જ કહે છે 'gવં નહે ત્યાદિ પ્રતિપક્ષ-દાષ્ટ્રતિક તેમજ જાણવો. કોણ? તે કહે છે–'પુરિસ નાય' ત્તિ પુરુષના પ્રકારો પરિણત, રૂપ અને શોભાના સૂત્ર વડે દાષ્ટઈતિક સહિત ચતુર્ભગી કહેવી. યાવત્ શોભાસૂત્રની ચતુર્ભગી આ પ્રમાણે–'મનુજે નામં ને મનુત્તસો બે' ઉત્ત આ ચતુર્ભગીનો ચતુર્થ ભંગ છે. સારથી-ખેડનાર, ગાડામાં બળદ વગેરેને યોજયિતા-જોડનાર પણ વિયોજયિતા-છોડનાર નહિ તે પ્રથમ, બીજો તો છોડનાર છે પણ જોડનાર નથી, એવી રીતે શેષ બે ભાંગા પણ જાણવા. વિશેષ એ કે-ચોથો ખેડે છે. અથવા ગાડા વગેરેને જોતરવાની તૈયારી કરનાર પ્રત્યે જોડાવનાર-પ્રેરણા કરનાર તે યોત્કાપયિતા અને છોડનારાઓને જે પ્રેરણા કરનાર તે વિયોત્કાપયિતા. લોકોત્તરપુરુષની વિવામાં તો સારથીની જેમ સારથી-સાધુઓને સંયમયોગોને વિષે પ્રવર્તાવનાર તે યોજયિતા અને વિયોજયિતા તો અનુચિત્ત પ્રવૃત્તિ કરનાર મુનિઓને અટકાવનાર છે. યાનસૂત્રની જેમ અશ્વ અને ગજ (હાથી) ના સૂત્રો પણ જાણવા. 'ગુરિય’ રિયુગ્ય (અશ્વાદિ) ની ચર્યા–ગતિ. ક્વચિત્ 'કુરિય’ ત્તિ એવો પણ પાઠ છે ત્યાં યુગ્યાચર્યા એટલે અશ્વાદિની ગતિ જાણવી. એક વાહન (અશ્વાદિ) માર્ગમાં જનાર હોય છે પરંતુ ઉન્માર્ગમાં જવાવાળું હોતું નથી, ઇત્યાદિ ચતુર્ભાગી જાણવી. અહિં વાહનની ગતિ વડે જ નિર્દેશ-કથન ચાર પ્રકાર વડે કહેલ હોવાથી તેની ચર્ચા (ગતિ) ને જ ઉદ્દેશ વડે કહેલું ચાર પ્રકારપણું જાણવું. ભાવયુગ્ય પક્ષમાં તો વાહનની માફક યુગ્ય-સંયમયોગના ભારને વહન કરનાર સાધુ, માર્ગમાં જનાર તે અપ્રમત્ત મુનિ, ઉન્માર્ગમાં જનાર દ્રવ્યલિંગી, બન્નેમાં જનાર તે પ્રમત્ત યતિ અને ચોથા ભંગમાં સિદ્ધ છે. ક્રમશઃ ૧. સત, ૨. અસતુ, ૩. ઉભય-સત્ તથા અસત્ અને ૪. બથી રહિત અનુષ્ઠાનવાળા હોવાથી અથવા પથ અને ઉત્પથનું સ્વસમય અને પરસમયસ્વરૂપ હોવાથી અને ‘યાયિ’ શબ્દનો ગતિરૂપ અર્થ વડે બોધપર્યાય હોવાથી સ્વસમય અને પરસમયબોધની અપેક્ષાએ આ ચગી જાણવી. અર્થાતુ એક સ્વસમયને જાણે છે પણ પરસમયને જાણતો નથી, એક પરસમયને જાણે છે પણ સ્વસમયને જાણતો નથી, એક ઉભય સમય (શાસ્ત્ર) ને જાણે છે અને એક બન્નેને જાણતો નથી. એક
407