Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 466
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ४ गर्जितादिमेघपुरुषाः ३४६ सूत्रम् અશક્ય હોવાથી તે ઘટાદિનું અસઅવક્તવ્યપણું છે અર્થાત્ એક દેશમાં અસત્પણું અને અન્ય દેશમાં અવ્યક્તપણું છે, ૭. ઘટાદિ દ્રવ્યના એક દેશનું સ્વપર્યાયોથી વિશેષિત કરવા વડે સત્ત્વ હોવાથી અને બીજા દેશનું પરપર્યાયોથી વિશેષિત કરવા વડે અસત્ત્વ હોવાથી અને અન્ય (ત્રીજા) દેશનું સ્વ-પરપર્યાયો વડે યુગપત્ વિશેષિત ઘટનું તેમજ કહેવા માટે અશક્યપણાને લઈને અવ્યક્ત હોવાથી તે ઘટાદિ દ્રવ્યનું સત્અસત્અવક્તવ્યપણું છે. અહિં પ્રથમ, દ્વિતીય અને ચતુર્થ ભંગ એ ત્રણે અખંડિત વસ્તુ (દ્રવ્ય) ને આશ્રિત છે અર્થાત્ સકલાદેશી છે. શેષ ત્રીજો, પાંચમ, છઠ્ઠો અને સાતમો આ ચાર ભાંગા વસ્તુના દેશને (પર્યાયને) આશ્રયવાળા કહેલા છે. વળી તૃતીય ભંગ પણ અખંડ વસ્તુને આશ્રિત જ છે એમ અન્ય આચાર્યોએ કહેલ છે, તે આ પ્રમાણે–સ્વપર્યાયો અને પરપર્યાયો વડે વિવક્ષિત અખંડ વસ્તુનું સત્અસત્પણું છે. આ કારણથી જ આચારાંગની ટીકામાં કહેલું છે કે–દુ વોરિમજીત્યોત્તર વિવશત્રય ન સમવતિ, પાવાવાપેક્ષવાત્ તત્પરેશાવવામાવા [વારા ટી.] રૂતિ | અહિ ઉત્પત્તિને સ્વીકારીને પાછલા ત્રણ વિકલ્પો સંભવતા નથી, કારણ કે પદાર્થના અવયવની અપેક્ષા તેમજ ઉત્પત્તિના અવયવનો અભાવ હોય છે એમ અજ્ઞાનિકવાદીઓના સડસઠ વિકલ્પો થાય છે. વૈનયિકોના બત્રીશ વિકલ્પો થાય છે, તે આ પ્રમાણે જાણવા-૧. દેવ, ૨. રાજા, ૩. યતિ, ૪. જ્ઞાતિ, ૫. વૃદ્ધ, ૬. અધમ, ૭. માતા અને ૮. પિતાએ દરેકનું કાયા, વાણી, મન અને દાન વડે દેશ, કાળને અનુસાર વિનય કરવો. એવી રીતે આ ચાર ભેદો દેવાદિ આઠ સ્થાનોને વિષે થાય છે. સર્વ મેળવતાં બત્રીશ થાય છે. ચારે વાદીઓની સર્વ સંખ્યા ત્રણ સો ત્રેસઠ થાય છે. પૂજયપુરુષોએ કહ્યું છે કેआस्तिकमतमात्माद्या ९ नित्यानित्यात्मका नव पदार्थाः । कालनियतिस्वभावेश्वरात्मकृतकाः स्वपरसंस्थाः ॥२३०॥ कालयदृच्छानियतीश्वर-स्वभावात्मतश्चतुरशीतिः । नास्तिकवादिगणमतं न सन्ति सप्त स्वपरसंस्थाः ॥२३१।। अज्ञानिकवादिमतं नव जीवादीन् सदादिसप्तविधान् । भावोत्पत्तिं सदसवैताऽवाच्यां च को वेत्ति? ॥२३२।। વૈનયિમત વિનયોતોવાય નતઃ વર્ષ સુ-પતિ-વત્તિ-જ્ઞાતિ-સ્થાવ-ડધ-માતૃ-પિતૃષ સતા રા , [ ] તિ | નિત્યાનિત્યાત્મક આત્માદિ નવ પદાર્થો. સ્વથી અને પરથી સ્થાપેલા, કાળકૃત, નિયતિકૃત, સ્વભાવકૃત, ઈશ્વરકૃત અને આત્મકૃત. આ પ્રમાણે એક સો એંશી ભેદ આસ્તિક (ક્રિયાવાદી) મતના થાય છે ||૧II પુણ્ય અને પાપ રહિત સાત પદાર્થો સ્વથી અને પરથી સ્થાપેલા ૧ કાળ, ૨. યદચ્છા. ૩. નિયતિ, ૪. ઈશ્વર, ૫. સ્વભાવ અને ૬. આત્મકૃત નથી–આ પ્રમાણે નાસ્તિક (અક્રિયાવાદી) મતના ચોરાશી ભેટ છે ||રા સત્, અસત્ વગેરે સાત ભેદથી ગુણાયેલ જીવાદિ નવ પદાર્થો અને ભાવની ઉત્પત્તિના સત્, અસત્, સદસત્ અને અવક્તવ્યથી કોણ જાણે છે? આ પ્રમાણે અજ્ઞાનિક વાદીના સડસઠ ભેદ થાય છે all સુર, નૃપતિ, યતિ, જ્ઞાતિ, સ્થવિર, અધમ, માતા અને પિતાને વિષે મન, વચન, કાયા અને દાન વડે વિનય કરવા યોગ્ય છે. આ વૈનાયિકમતના બત્રીશ ભેદ છે. (૨૩૦-૨૩૩) એ જ ચાર સમવસરણોને ચતુર્વિશતિ દંડકને વિષે નિરૂપણ કરતા થકા સૂત્રકાર કહે છે–નેરા ' મિત્કારિ૦ સુગમ છે. વિશેષ એ કે-મન સહિત હોવાથી નારક વગેરે પંચેદ્રિયોમાં આ ચારે સમવસરણો સંભવે છે. 'વિકારયવન્ન તિ એકેદ્રિય, બેઇંદ્રિય, ત્રીદ્રિય અને ચતુરિંદ્રિયોને મન ન હોવાથી તેઓને સમવસરણો સંભવતા નથી. ૩૪પી. પુરુષના અધિકારથી પુરુષવિશેષનું પ્રતિપાદન કરવા માટે પ્રાયઃ દષ્ટાંત સહિત ત્રેતાલીશ પુરુષસૂત્રોને 'વત્તારિ મેરે ત્યાદિ સૂત્રો વડે કહે છે. चत्तारि मेहा पन्नत्ता, तंजहा-गज्जित्ता णाममेगे णो वासित्ता, वासित्ता णाममेगे णो गज्जित्ता, एगे गज्जित्ता वि वासित्ता वि, एगे णो गज्जित्ता णो वासित्ता ४ (१)। एवामेव चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा–गज्जित्ता णाममेगे 454

Loading...

Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520