________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
४ स्थानकाध्ययने उद्देशः ३ आहरणभेदाः ३३८ सूत्रम् આ પ્રમાણે પ્રકૃતિ સાધ્યમાં અનુપયોગી અથવા પોતાના મતમાં દૂષણ લાવનારું દષ્ટાંત તે દાષ્ટાન્તિકની સાથે સાધચ્ચેના અભાવથી દુરુપનીત છે. જેમ ઘટની માફક શબ્દ નિત્ય છે, અહિં ઘટમાં નિત્યત્વ નથી જ, માટે ઘટના સાધર્મ્સથી શબ્દનું નિત્યપણું ક્યાંથી સિદ્ધ થાય? પરંત ઘટના અનિત્યપણાથી તેના સાધમ્મપણાને લઈને શબ્દનું અનિત્યપણું તેમને અમાન્ય છતાં પણ સિદ્ધ થાય છે. આ દૃષ્ટાંત સાધ્યમાં અનુપયોગી છે. વળી સંતાન–ક્ષણપરંપરાનો નાશ તે દીપકની માફક મોક્ષ છે. આવી રીતે (બૌદ્ધના) સ્વીકારને વિષે દીપકના દષ્ટાંતથી અનાદિમાનું સંતાનની પણ અવસ્તુતા થાય છે, તે બતાવે છે-દીપ અને આત્માના સંતાનનો નાશ ઉત્તર ક્ષણનો અજનક છે. ઉત્તરક્ષણને ઉત્પન્ન ન કર્યો છતે અર્થક્રિયાકારિત્વ (કાય) લક્ષણરૂપ સત્ત્વ (વિદ્યમાનપણું) નો અભાવ હોવાથી છેલ્લા ક્ષણનું અવસ્તુપણું છે કેમકે અંત્ય ક્ષણ અવસ્તુતજનક છે. પૂર્વ ક્ષણનું પણ અવસ્તુત્વ છે, તેથી જ પૂર્વતરનું પણ, એવી રીતે સમસ્ત સંતાનનું અવસ્તુપણું થશે. પૂર્વપક્ષી–અન્ય ક્ષણના અનારંભમાં પણ સ્વગોચર (પ્રત્યક્ષ) જ્ઞાન ઉત્પન્નરૂપ અર્થક્રિયાનો કરનાર હોવાથી અંત્યક્ષણ વસ્તુરૂપ થશે. ઉત્તર–એમ નથી. એ પ્રમાણે તો ભૂત અને ભાવી પર્યાયની પરંપરારૂપ યોગિજ્ઞાન પણ પોતાના વિષયને ઉત્પન્ન કરે છે માટે વસ્તુપણું સ્વીકારવું એમ કહેવું યોગ્ય નથી. ક્ષણાંતરના અનારંભમાં વસ્તુત્વ છે. આ કથનથી દીપનું દૃષ્ટાંત સ્વમતમાં દૂષણ આપનારું થાય છે. અથવા કૃતકત્વ હોવાથી ઘટની માફક શબ્દ અનિત્ય છે. આ વક્તવ્યમાં સંભ્રમથી કૃતકત્વ હોવાથી શબ્દવત્ ઘટ અનિત્ય છે. આમ કહેનારને . વિપરીત દૃષ્ટાંતથી દુરપનીત થાય છે. આ સંબંધમાં જણાવે છે કેपढमं अहम्मजुत्तं, पडिलोमं अत्तणो उवन्नासो । दुरुवणियं च चउत्थं, अहम्मजुत्तम्मि नलदामो ॥२०५।।
રિવૈ ૦િ ૮ ત્તિ), પ્રથમ અધર્મયુક્ત પાપવૃદ્ધિ થાય, પ્રતિકૂળ જેમાં પોતાનું જ ખંડન થાય, અને દુષ્ટ બોલવું. અધર્મયુક્તમાં નલદામનું ઉદાહરણ. (૨૦૫) પડિતોને ના ગમો, પબ્લોયં દર મહિનો *સંતો પર શિવ. નિ૮૨] :
પ્રતિલોમ પ્રતિકૂળમાં અભયકુમારનું જેમાં પ્રદ્યોત રાજાને હરાવ્યો હતો. अत्तउवन्नासंमि य, तलयभेयंमि पिंगलो थवई । अणिमिसगेण्हणभिक्खुग, दुरुवणीए उदाहरणं ।।२०६।।
શિવ નિ ૮૩ ]િ. આત્માનો ઉપન્યાસ, તળાવ ભેદમાં પિંગળ કારીગરનું ઉદાહરણ. માછળા ગ્રહણમાં એક ભિક્ષુનું ઉદાહરણ છે. ઉદાહરણ ઉપર બતાવેલ છે. (૨૦૬).
આહરણતદોષ કહ્યો, હવે ઉપન્યાસઉપનય કહેવાય છે, તે ચાર પ્રકારે છે–તેમાં 'તવ્યસ્થu'તિ વાદી વડે સ્થાપન કરાયેલ સાધનરૂપ વસ્તુ છે તે જ ઉત્તરભૂત વસ્તુ છે જે ઉપન્યાસોપનમાં તે ૧. તદ્વસ્તક અથવા તે જ અન્ય વડે સ્થપાયેલ વસ્તુ તે તદ્ધવસ્તુ, તે જ તવસ્તુક, તે વસ્તુયુક્ત ઉપન્યાસઉપનય પણ તદ્ભવસ્તુક કહેવાય છે. આગળ પણ એમજ જાણવું.જેમ કોઈક કહે છે કે સમુદ્રના કિનારા ઉપર એક મહાન વૃક્ષ છે, તેની શાખાઓ જળ અને સ્થળ ઉપર રહેલી છે. તેના જે પાંદડાં જળમાં પડે છે તે જલચર જીવો થાય છે અને જે સ્થળમાં પડે છે તે સ્થળચર જીવો થાય છે. અન્ય (પ્રતિવાદી) વાદીએ સ્થાપિત વૃક્ષના પત્ર-પતનરૂપ વસ્તુને ગ્રહણ કરીને જ તેણે કહેલા વાક્યનું ખંડન કરે છે, આ પ્રમાણે પૂછે છે પરંતુ જે પત્રો મધ્યમાં પડે છે તેઓની શી સ્થિતિ? તે કહો. આ યુક્તિમાત્ર ઉત્તરભૂત દ્વસ્તક ઉપન્યાસઉપનય છે. જ્ઞાત-દષ્ટાંતના નિમિત્તપણાથી આનું જ્ઞાતપણું છે. અથવા આ જ્ઞાત યથારૂઢ જ છે. તે કહે છે-આનો પ્રયોગ આ પ્રમાણે છે-જલ અને સ્થલમાં પડેલાં પત્રો. જલ અને સ્થલના મધ્યમાં પડેલાં પત્રની જેમ જલચરાદિ જીવરૂપ સંભવતાં નથી, જલ અને સ્થલમાં પડેલા પત્રોને જલચરતાદિની
1, આ અર્ધી ગાથા આ પ્રમાણે છે. 'નોવિંદુ વાયોલવા નંદ પY Fઉં નિ"
438.