Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
પૈસવાળા છતાં હાથે કામ કરો છો ? મારા માતુશ્રીએ ૫. કે દેવને આ વાત કરી પ. કૃ. દેવે પૂ. દેવમાને કહ્યું કે “મા !. બીજા પાસે કામ કરાવી લેતા હતા ? દેવમા કહે “ભાઈ ! મોરબી નગરશેઠના ઘરના કામ હાથે કરે છે અને આપણે પણ કરીએ કામ કરવામાં ખોટ નહીં” એ પ્રમાણે ખુલાસો પૂ. દેવમાંએ કરતાં સૌને આનંદ થયે.
૫. કુ. દેવનો દેહ વિલય થયે તેને આગલે દિવસે મારા માતુશ્રીને માળા ફેરવવાનું કહેલું શ્રી પ. કે. દેવના દેહ વિલય બાદ પોતે ઉદાસીન ભાવે એકાંતમાં ઝાઝો વખત રહી જે તેમને સ્મરણ આપેલ તે માળા ફેરવતાં. આ રીતે પોતાનો જીવનકાળ વ્યતીત કરતાં.
પૂર્વના અશુભ કર્મના ઉદયે રેવાશંકર જગજીવનની પેઢીને આપસમાં કેસ ચાલ્યા ને તેમાં અનેક વીટ બનાઓ પડી, અને ફેંસલે થયો. ત્યાર પછી મારા ભાઈ છગનલાલ અને મારા કાકા મનસુખલાલ એ એના નામથી છગનલાલ મનસુખલાલના નામની કંપની શરૂ કરી. ચાર મહિના મારા ભાઈ છગનલાલ પેઢી ઉપર બેઠા ત્યારબાદ તે બિમાર પડ્યા બાર મહિના બિમારી ભેળવીને ભાઈ છગનલાલને દેહ છુટી ગયો. આથી મારા માતુશ્રીનું જીવન નિરસ થઈ ગયું અને પ્રભુએ આપેલ માળામાં મન પરોવી રાખતા. ત્યાર પછી એક વર્ષે મારા લગ્ન થયા પણ તેમને (મારા માતુશ્રીને) તેમાં રસ ન હતો. મારાં લગ્ન પછી ૮ મહીને મારો નાનો ભાઈ રતીલાલ પણ ગુજરી ગયા, આવા