Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
ન હતો. આવા સાત્ત્વિક સત્યાત્માએ જ પરમાર્થ માગને અને ગુરુભક્તિનો મર્મ પામી શકે છે. | આવી વ્યક્તિઓની ગણના લૌકિક નહીં” પણ લોકોત્તર માનવીએમાં થાય છે. હવે પછીનું તેમનું વૃત્તાંતનિરૂપણ તેમના ઉદાત્ત જીવનનાં ઊજળાં પાસાંઓનો પરિચય કરાવે છે. તે ખરેખર સાચાં માતેશ્વરી છે અને સવ મુમુક્ષુઓની એ શીતળ છાયા રૂપ છે. તેમનું ગૃહજીવન ઉભય પક્ષે સાત્ત્વિક ને સરળ છે. તેમની કૃતજ્ઞતા અને ગુણગ્રાહુતા દૃષ્ટાંતરૂપ બની રહે છે. તેમની અપૂર્વ ભક્તિ અને મુમુક્ષુ યાત્રિાનું આતિથ્ય અને સુશ્રુષા–ભાવ, તે બધાંના ફળસ્વરૂપ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન” સાથે સદૈવ સંકળાયેલા રહીને પ્રભાવશાળી આત્માનો સદાય વિજય પોકારી રહેશે.