Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જનમભુવન wwAwwwwwwww
ઉજજવળ પરંપરામાં, પુણ્યક્ષેત્ર વવાણિયામાં, “ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન” એક મહાન તીર્થધામ બની રહે છે. દૂરદ્રથી મુમુક્ષુઓ આવે છે અને આ પુણ્યતીર્થ માં વર્તમાન યુગના આ આડંબરરહિત દર્શનનો લાભ લઈને પાવન થાય છે.
આવું પાવનકારી કાય જેમની નિષ્કામ ભક્તિ, સદુધમ અને પ્રભાવક વૃત્તિનું પરિણામ છે તે પૂ. બહેનશ્રી જવલખા એટલે સાંસારિક દૃષ્ટિએ શ્રીમદુનાં સુપુત્રી. તેમને તો તેમની પાંચ- છે. વર્ષની નાની ઉંમરમાં જ આવી દિવ્ય વિભૂતિનું' પિતા સ્વરૂપે સાન્નિધ્ય પ્રાપ્ત થયું. એ સભાગી બચપણના કુમળા અંતરમાં દેવી પિતાની મહાનુભાવતાની છાપ કરાવા લાગી અને ઉત્તરોત્તર તેઓશ્રીની ચર્ચા – ચેષ્ટા દ્વારા પોષણ મળતાં તેમને પિતાની અપૂર્વતા સમજાઈ ગઈ.
આવી અપૂર્વતાનો સ્પર્શ પામેલું હૃદય જ્યારે તેણે ઝીલેલી સ્મૃતિસિદ્ધિને જિજ્ઞાસુઓ સમક્ષ વ્યક્ત કરે છે ત્યારે તે કોઈ લોકોત્તર હેતુ ખાતર તેમ કરતા હોય છે. અને તેનું પરિણામ પણ “ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન” જેવું જ લોકોત્તર હોય છે.
આટલી નાની ઉંમરમાં પણ પૂ. બહેનશ્રીના સ્મૃતિપટ પર આવાં ઉદાત્ત દાની સ્મૃતિ કરાઈ રહે છે, તેમના પ્રભુની પુત્રીરૂપે પ્રગટવાના સદ્દભાગ્યની જેમ, પૂર્વના આરાધક આત્માની ઝાંખી કરાવે છે. તેમણે પોતાનું જીવન ભગવરૂપ પિતાની ભક્તિમાં ઓતપ્રોત કરી દીધું. એમની ભક્તિ એ જ તેમને માટે આજીવન સાધના બની રહી. તેમના પરિચયમાં આવતાં તેમની વાત પરથી સ્પષ્ટ જણાઈ આવતું કે તેમનો સાંસારિક ભાવ એકસરતો જતો હતો અને પરમાત્માની ભક્તિ અને તે પ્રભાવનામાં વૃદ્ધિ થાય તેવાં સાધના યોજીને તેમને સુવ્યવસ્થિત રાખવામાં તેમનું મન સતત પરોવાયેલું રહેતું હતું. સંસારનાં ઉપાધિજન્ય કાર્યો સતુ–દષ્ટિવાન જીવ જેમ પરાણે કરે છે તેમ પૂ. બહેનશ્રી તેવાં કાર્યો એક અનિવાર્ય ફરજરૂપે પરાણે કરતાં. તેમણે તે હવે એક જ ધર્મ સ્વીકાર્યો છે કે પરમકૃપાળુ શ્રીમદ્મભુમાં પ્રીતિ ધરાવનારા તેમના અનુયાયીઓ અને મુમુક્ષુઓ તીર્થધામ વવાણિયામાં જ્યારે