Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
૧૪૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
www
ધન વહેતું મૂકયું હતું. હૃદયની ખરી ભાવનાથી તે દરેકને ઉત્કૃષ` ઝંખતા હતા.
મૌન તા પૂ. ભાઈશ્રીનેા સહજ સ્વભાવ હતા. ઓછા ખેલાપણું તેમના જીવનમાં વણાઈ ગયું હતું. એ મૌન ઘણી વાર ભારે અકળામણુ પણ ઊભી કરતું છતાં પિરણામે તે। સુખકારક જ નીવડતુ. મહાપુરુષામાં આ ગુણ દૃષ્ટિગોચર થાય છે. મૌનથી આત્મપ્રભા વિશેષપણે પ્રગટે છે. પૂ. ભાઈશ્રીનું લખવું કે ખેલવુ' 'મેશાં ક્રૂ' રહેતુ. જ્યાં ઘેાડાથી પતે ત્યાં એટલામાં જ પતાવતા. દીર્ઘદૃષ્ટિ અને વિશાળ વિવેકબુદ્ધિ હૈાય તે સાથે અસૂચક મૌનનેા મહે મેળ ખાય છે. બધાંની વાત સાંભળવી, બધાંને તેમની પ્રકૃતિ પ્રમાણે સમજીને એ વાકથમાં માદર્શન આપી દેવું, એ પૂ. ભાઈશ્રીની લાક્ષણિકતા હતી. આમ પૂ. ભાઈશ્રીનુ જીવન સરિતા જેવું સતત વહેતું અને શુદ્ધ રહ્યું હતું.
,,
પૂ. બહેનશ્રી પ્રત્યે ભગવાનલાલભાઈને પ્રભુપુત્રી તરીકેનુ વિશિષ્ટ પ્રકારનું માન હતું. આપણે આગળ જોઈ ગયા કે તેમના મનને સ'તાષ થાય તેમ જ તેઓ વર્તતા. તેઓશ્રીના અ`તરમાં પૂ. બહેનશ્રીના ઉત્તમેાત્તમ સદ્ગુણા પ્રત્યે આદર હતા, તેમનુ મહત્ત્વ તેમને સમજાયું હતું. તેથી નિર ંતર “ભગવાનનાં પુત્રી રૂપે તેમનું માન જાળવતા અને એમને બહુમાનની દૃષ્ટિથી જોતા અને એને લઈને છેવટની પણ તેમની અંતરની અભિલાષા હતી કે એમના સાંનિધ્યમાં જ પેાતાના દેહ છૂટે. એ અંતરેચ્છા પૂ. શ્રી ભગવાનલાલભાઈના ઉદ્ગારરૂપે નીકળેલા શબ્દોમાં નીચે પ્રમાણે વ્યક્ત થઈ છે :
પૂ. બહેનશ્રી કહે છે, “પાતે કરાંચીથી મંદવાડ પહેલાં પત્ર લખી પૃચ્છા કરે છે કે ‘સમ્યક્ત્વનાં લક્ષણ શાં?’ પણ મને લાગ્યું કે હવે દેશમાં આવવાનાં છે એટલે તેનેા જવાબ ન લખાયા. એ મારી ભૂલ આજે મને સાલે છે.”
પૂ. મહેન વવાણિયા હતાં ત્યારે તેમને પોતે લખે છે: “હુ તમારા ખેાળામાં માથું રાખીને જાઉં એ ઇચ્છું છું.” થયુ. પણ