Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others

View full book text
Previous | Next

Page 279
________________ ‘મચ્છુકાંઠાન મહાજન ’ રચયિતા મોરબીનિવાસી શ્રી વલભજી ભાણજી મહેતા પરવર્યા પૃથ્વીવાસીઓ એકદા, અમૃત ચોઘડિયે સમુદ્ર-પૂજને, અને લાગ્યું પૂણ કલાએ પ્રકાશનું સર્વાગ સુંદર મંધુ રત્ન રાજચન્દ્ર. જમ્યા એક દેવ લગ્નની ધન્ય તિથિએ જૈન શાસનના પરમ પ્રકાશક, પંચમકાલના પ્રજ્ઞ, આચાર્ય વર હેમચંદ્ર; અને બીજા વવાણિયાના વૈશ્યવર મચ્છુકાંઠાની મંગલ મૂર્તિ મહાનુભાવદેવદૂત શો દેવબાઈનો આત્મજ. આત્મલક્ષી, અરિહંતને અનુચર, ગાહેશ્ય તપોવનનો તપસ્વી. વૈરાગ્યની મૂતિ, સિદ્ધાર્થના સહાદર, નવયુગ જૈનવિકમ શ્રીમદ્ રાજચંદ્ર. સોરઠની શ્રુતિ-સ્મૃતિઓમાંયે સોહંત, ગુજરાતની ગાથાઓમાંયે ગૌરવાન્વિત, ભારતની ભૂગોળની ભાગળમાંય ભગવંત, અને અવનીના ઇતિહાસમાં ઉજવેલ. હતા એ દેવ પ્રભાવી માનવ કૌસ્તુભ. હતા એ અદ્દભુતશક્તિના આવિર્ભાવ. સૃષ્ટિવાસી મરણુ-શક્તિનો સીમાડો. મનુકુલની મેધાનો મહાદેવ, પ્રાસાદિક કવિતાની પ્રગટમૃતિ', અને વીતરાગનો વીર વારસ,

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300