________________
‘મચ્છુકાંઠાન મહાજન ’
રચયિતા
મોરબીનિવાસી
શ્રી વલભજી ભાણજી મહેતા પરવર્યા પૃથ્વીવાસીઓ એકદા, અમૃત ચોઘડિયે સમુદ્ર-પૂજને, અને લાગ્યું પૂણ કલાએ પ્રકાશનું સર્વાગ સુંદર મંધુ રત્ન રાજચન્દ્ર. જમ્યા એક દેવ લગ્નની ધન્ય તિથિએ જૈન શાસનના પરમ પ્રકાશક, પંચમકાલના પ્રજ્ઞ, આચાર્ય વર હેમચંદ્ર; અને બીજા વવાણિયાના વૈશ્યવર મચ્છુકાંઠાની મંગલ મૂર્તિ મહાનુભાવદેવદૂત શો દેવબાઈનો આત્મજ. આત્મલક્ષી, અરિહંતને અનુચર, ગાહેશ્ય તપોવનનો તપસ્વી. વૈરાગ્યની મૂતિ, સિદ્ધાર્થના સહાદર, નવયુગ જૈનવિકમ શ્રીમદ્ રાજચંદ્ર. સોરઠની શ્રુતિ-સ્મૃતિઓમાંયે સોહંત, ગુજરાતની ગાથાઓમાંયે ગૌરવાન્વિત, ભારતની ભૂગોળની ભાગળમાંય ભગવંત, અને અવનીના ઇતિહાસમાં ઉજવેલ. હતા એ દેવ પ્રભાવી માનવ કૌસ્તુભ. હતા એ અદ્દભુતશક્તિના આવિર્ભાવ. સૃષ્ટિવાસી મરણુ-શક્તિનો સીમાડો. મનુકુલની મેધાનો મહાદેવ, પ્રાસાદિક કવિતાની પ્રગટમૃતિ', અને વીતરાગનો વીર વારસ,