________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૨૨૧
શુકદેવ સરીખડા, ને જન્મજોગી. મધુર મરકલડાંના મકરંદે મહેકતાં પુષ્પ સરીખડાં એનાં પ્રિય સુભાષિત નિઝરતાં શાંતિનાં અમૃતબિંદુડાં અને હૈયે હૈયે હેતલડાં જગાવતાં. દેહવિભૂતિ નહોતી એની અનન્ય કે નહોતા એને ભીષ્મબાહુબલ. નથી હોતી દેવ વિભૂતિના આત્માને
સ્થલતનુની સમૃદ્ધસ'પત્તિ. આજ કયાં નથી પ્રત્યક્ષ પ્રમાણ મહાત્મા ગાંધીના સુદામાં શરીરનુ ? હતો એ એકપાકી જન્મકવિ. કૂદ્યો બે વર્ષની જ અવધમાં સાતે અક્ષર માળાના મહાનદો. એનાં આઠ વર્ષના જ ઉઘાડમાં ઊઘડી કવિતાની કુદ-કળીએ અને ઊડી એના હૃદયસિધુમાંથી પચાસ શતકાની તરંગાવલિ. અને સર્યા એણે છત્રીસ કલાકમાં ત્રણ શતક લાકા સ્કૂલ ઘડિયાલના. ઊભે નહિ તે પંદર વર્ષના પગથારે ત્યાં આદર્યો એણે અષ્ટાવધાન. બીજે દિવસે તે સેળ સોપાને ઊભે. એમ જ કૂદ્યો તે ઉત્તરોત્તર વામન પ્રભુના ત્રણ જ પગલે જઈ ઊભો શતાવધાનના ગિરિશિખરે. અનિમિષ નેત્રે સૌ કોઈ એ જોયું. એ મહાપુરુષના અદભુત અવધાનથી. દિગમૂઢ થયાં દેશી-વિદેશીઓ, મોહિત થયા માંધાતા-કુશળ કાજીઓ, આશ્ચર્યચકિત થયાં સૌ કાનાં લોચન.