________________
૨૨૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જનમભુવન
એ કાયની કીર્તિ—કસ્તુરી ભભકી મહાજનોની મંડળી કે મુંબઈના માળાઓમાં એના પરાક્રમની પ્રશસ્તિ પ્રગટ થઈ પ્રસિદ્ધ યાદપત્રોમાં; અને એની દિવ્ય શક્તિને વિજય ધ્વજ ઊડયો દિશામંડલમાં.
ધન્ય ! ધન્ય ! ” એવા ધુરંધર ધ્વનિ ઊઠયા સૌ કોઈનાં હૈયાંમાંથી, ‘હિન્દના હીરા ” “ સાક્ષાત્ સરસ્વતી’એવા યશસ્વી સમાન સુવર્ણચંદ્રકો પામ્યા તે સજજન મિત્રોની મંડળીઓમાંથી કે સાક્ષરોની શાણી સભાઓમાં.
તેજ વયે એણે રચી ‘મેક્ષમાળા ” ગૂંથી આત્મવિચારનાં મધુર પુષ્પોની, જાણે જૈન સંપ્રદાયની શ્રેણી. માંડવા એણે પ્રવૃત્તિના પાટલા ઝવેરી બજારમાં વીર સુકાની થયા એ વ્યાપાર નૌકાનો ત્યાં એણે દાખવ્યાં અનેરાં કૌશલ્ય, મોહ્યો નહિ તે મોહમયી મહાલયામાં, કે લપટો નહિ તે લક્ષ્મીની લીલાઓમાં. સંસારનાં સ્થૂલ સમૂહમાંથીયે સાંચરી સુર-સમૃદ્ધિ વિરાગની એ આત્મ-બંદરના વહાણવટીએ. ધર્મ એ જ એમનો અચલ ધ્રુવ. અને સદાય એની દૃષ્ટિ ઠેરતી અધ્યાત્મ જ્ઞાનની અડાલ દીવાદાંડીએ. હતા તે સંન્યાસી સંસારના સ્વાંગમાં હતો તે વિરક્ત વ્યવહારના વિકાસમાં અને હતો તે અહોનિશ આત્માર્થી.