________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : ૨૨૩
ભાગ્યે નહિ તે ભીરુ થઈ વનવાસમાં, ભડકી ભવ કે ભામિનીઓના ભયે. ઊભે તે કર્મચાગી સંસાર-સંગ્રામમાં માનવ મેદની કે માયાના મેદાનમાં. ડર્યો નહિ તે ષષ્ટિપુની સેનાથી, ઘાવ ખાતાંય તેણે નિષ્કામ વૃત્તિ દાખવી. હતી એ ધર્મવીરની વિહાર–ભૂમિ પૃથ્વીના પડદાની પેલે પાર. દેહસ્થ છતાંય તે દેહાતીતના સ્થૂલ સૂફમ જીવનની ખીણોમાંથી અખંડ વૈરાગ્યનાં વહેણ ફૂટતાં. હતો તે ઉત્કૃષ્ટ ત્યાગમૂર્તિ, હતા તે ઉદાર-ચરિત આદર્શ આયર, અને સમ્યક્દષ્ટિના એ સંત (શિરોમણિ ). હતો એ સંયમશીલ શ્રાવક પાર્શ્વનાથના પદ પંકજનો મધુકર અવિભક્ત જૈન ધર્મ–ભાવનાઓને ભક્ત જોયું એણે વીતરાગદશનને વિશ્વવ્યાપી જીવ્યા એ ધર્મ પ્રવર એના અમૃતપાનમાં, અને ફેંકયા એણે એ જ મંતવ્યના મંત્રો, વિચાર્યા એણે વેદ વેદાંગને. મંથન કીધા એણે સર્વદર્શન મહોદધિના અને સજી એણે ‘ આત્મસિદ્ધિ’ સૂત્રરત્નાવલિ. ઐહિક ઔષણાનો તે ઉદાસી, પારલૌકિક પ્રભુતાન તે પૂજક, પાશવી વૃત્તિઓથી તે પરાડે મુખ; સર્વ સંગ–પરિત્યાગનો તે ઉત્સુક, જીવનમુક્તિના તે સદા મુમુક્ષુ, . અને રાગદ્વેષ વેરીઓને તે વિજેતા, નિર્જીવ પદાર્થની નિરીક્ષણામાંથી કે શુષ્ક માયાવી વિષય ઊંડાણમાંથી