Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others

View full book text
Previous | Next

Page 291
________________ ૨૩૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન એ જાણે ઉત્તમ શુભ ઘડીએ પ્રભુને હાથે પારમાર્થિક કાર્યનું બીજારોપણ થયું ! અને તેનું ફળ તે “શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન.” આ પરિણામ જતાં આપણને પણ પ્રતીતિ થાય છે કે જ્ઞાનીના જ્ઞાનમાં પહેલેથી જ અચૂક તે મુજબ ભાસ્યું હોવું જોઈએ. પૂ. બહેનશ્રી અને પૂ. મેટાંબાના નામથી “બુદ્ધિપ્રકાશ' માસિકમાં આજીવન સભ્ય તરીકે લવાજમ ભરાવવાનું થયું. અને જ્યારે શ્રી રણછોડભાઈના કુટુંબમાં ભગવાનલાલભાઈ સાથે પૂ. બહેનશ્રીના સગપણની વાત થઈ ત્યારે પૂ. માતુશ્રી દેવમાએ કહ્યું, “ભાઈ (પરમકૃપાળુ દેવ) આમ જ કહેતા હતા.” અને તેનું પરિણામ આપણે જોઈએ છીએ કે કુટુંબમાં વિશેષ આયુષ્યબળ પૂ. બહેનશ્રીનું', શ્રી ભગવાનલાલભાઈનું અને પૂ. મોટાંબાનું હોઈ તેમને હાથે શ્રીમદ્ રાજચંદ્ર દેવની જન્મભૂમિ વવાણિયામાં ‘શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન’ નામે ભવ્ય મંદિર બંધાઈ પવિત્ર તીર્થરૂપે અસ્તિત્વ ધરાવે છે. આજે અનેક મુમુક્ષુઓ-યાત્રાળુઓ ત્યાં દર્શનાર્થે આવે છે. તેમની રહેવાની, સૂવા બેસવાની વગેરે બધી સગવડ પૂ. બા સાચવે છે. એટલું જ નહિ પણ તેમને નાસ્તો તથા ભોજન પતે પાસે બેસીને ભક્તિપૂર્વક જમાડે છે. એવા પરમકૃષ્ટ લોકોત્તર પુરુષનો મહિમા જીવંત રહેવાના અને તેમની પ્રભાવનામાં વૃદ્ધિ થવાના સુયાગ કેવા પ્રકારે અને છે? કઈ અદ્દભુત અપૂવ વાત છે. આપણી અ૯૫બુદ્ધિથી એવી અદશ્ય ઘટનાને શું માપી શકીએ ? શું સમજી શકીએ ? માત્ર એટલું જ કહી શકીએ કે ભાવિ શ્રેય થવા યોગ્ય બીજ, ભલે અવ્યક્તપણે પણ ખરા જ્ઞાનીથી જરૂર રોપાય છે. જ્ઞાની પુરુષ, તેમની અત્યંત કરુણા અને તેમના જ્ઞાનમહિમા એ સર્વ પ્રત્યે આપણને અપૂર્વ દૃષ્ટિ પ્રગટ થાઓ! અને તેમની અત્યંત ભક્તિની–અનન્યાશ્રય ભક્તિની અંતઃકરણપૂર્વકની જિજ્ઞાસા જ પ્રાપ્ત થાઓ !

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300