Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન ઃ : ૧૮૩
www
મનસુખભાઈના વિવાહ ઉપર મારે આવવા મરજી છે તે ફક્ત આપના સમાગમ સારુ જ. પણ અહીં લાલચંદની દીકરીના વિવાહ વૈ. વદ ચેાથના છે. એટલે જો હું તે પડતું મૂકી ત્યાં આવું તે લાલચંદ તથા ઉજમખા અજ્ઞાનને લીધે ખેદ કરે એટલે ખીજો ઉપાય નથી અને વિવાહ પછી આપ વવાણિયા પાંચ પંદર દિવસ રહેવાના હૈ। તા જણાવશે. જો બનશે. તા મારા વિચાર ત્યાં આવવાના છે.
જ્ઞાન વિષે વિચાર કરતાં ઓછી બુદ્ધિથી ચાલી શકે નહીં. તેમ કાઈ બતાવનાર નહી' તેથી બુદ્ધિ થાકી ગઈ. મનની દોડ ખધી ઘણીખરી ઓછી પડી ગઈ છે, છેવટ એક વિચાર એ નક્કી કર્યા કે રાતદિવસ સહજાત્મસ્વરૂપનું સ્મરણ કરું છું; તે તુંહી તુંહી જ. બીજાની કાંઈ જરૂર નથી. આપની ભક્તિ કરું છું; હવે આપની મરજી પ્રમાણે કરશે. એ જ વિનતિ.
લિ. સેવક સેાભાગના નમસ્કાર વાંચશે.
ભાઈશ્રી રેવાશ‘કરભાઈ ને પ્રણામ કહેશે.
*
✩