Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૯૫
ત્રંબક, મણિ વગેરે મુમુક્ષુને તો સત્સમાગમ વિષેની ચિ અંતરેછાથી કંઈક આ અવસરના સમાગમમાં થઈ એટલે એકદમ દશા વિશેષ ના થાય તો પણ આશ્ચર્ય નથી.
ખરા અંતઃકરણે વિશેષ સત્સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત થાય છે.
વ્યવહાર અથવા પરમાર્થ સંબધી કઈ પણ જીવ વિષેની વૃત્તિ હોય તે ઉપશાંત કરી કેવળ અસંગ ઉપયાગે અથવા પરમ પુરુષની ઉપર કહી છે તે દશાના અવલંબને આત્મશક્તિ (આત્મસ્થિતિ) કરવી એમ વિજ્ઞાપના છે, કેમકે બીજો કોઈ પણ વિક૯૫ રાખવા જેવું નથી. જે કોઈ ખરા અંતઃકરણથી સપુરુષનાં વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઈ સંશય નથી; અને શરીરનિર્વાહાદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા ચોગ્ય છે. એટલે તે વિષે પણ કંઈ વિક૯૫ રાખવા યોગ્ય નથી. જે વિક૯૫ તમે ઘણું કરીને શમાવ્યો છે, તો પણ નિશ્ચયના બળવાનપણાને અર્થે દર્શાવ્યું છે.
સર્વ જીવ પ્રત્યે, સર્વભાવ પ્રત્યે અખંડ એક રસ વીતરાગદશા રાખવી એ જ સવ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરોમરણરહિત અસંગ સ્વરૂપ છે, એમાં સવ જ્ઞાન સમાય છે; તેની પ્રતીતિમાં સવ સમ્યક દર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવ દશા રહે તે સમ્યક્રશ્ચરિત્ર ઉત્કૃષ્ટ અને વીતરાગદશા છે. જેના સંપૂર્ણ પણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે, એ કેવળ નિઃસંદેસ (સંદેહ), કેવળ નિઃસંદેહ છે. એ જ વિનંતી.