Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
ખંભાત, જેઠ વદી ૧૩, સેામવાર, સંવત ૧૯૫૩
શ્રીમદ્ સદ્ગુરુ દેવ પરમાત્માશ્રીને ત્રિકાળ નમસ્કાર !
પરમકૃપાળુ દેવ, દેવાધિદેવ, શ્રીમદ શ્રી સહજામસ્વરૂપ સ્વામી શ્રી સદ્ગુરુદેવ પરમાત્મા પ્રભુની શુભ સેવામાં,
ગઈ કાલે રવિવારે સાંજના અત્રે મારું આવવુ થયું છે. રસ્તામાં આવતાં વીરમગામ સ્ટેશન ઉપર શ્રી સુખલાલભાઈના દર્શનને લાભ થયા હતા. અમદાવાદ એક રાત્રિ વીશીમાં રાકાયા હતા. ત્યાં શ્રી ગરીબહેન તથા પાતીખહેન પાસે ગયા હતા. પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ સાહેબના વિદેહ થયા પછી વારવાર તેમના પવિત્ર ઉત્તમેાત્તમ ગુણા મને સ્મૃતિમાં આવવાથી મારું હૃદય ભરાઈ આવ્યું છે. તે પવિત્ર પુરુષની દયા, ક્ષમા, અનુકંપા, દુઃખ વેદવાની સહનતા, અસગપણું, અને આત્માના શુદ્ધ ઉપયાગની તારતમ્યતા એ વારંવાર મને સ્મૃતિમાં આવ્યા કરે છે. એવા અમૂલ્ય રત્નને વિશેષ સમાગમ આ લેખકના હીનભાગ્યે કચાંથી અધિક કાળ હોઈ શકે? હવે બહુ જ પશ્ચાત્તાપ થાય છે. તેવા પરમ પૂજવા જોગ પુરુષની મારાથી કાંઈ પણ સેવાભક્તિ થઈ નથી. અરેરે ! પૂજ્ય શ્રી જૂઠાલાલ અને પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ જેવાં અમૂલ્ય રત્નાની મારા જેવા દુષ્ટ જીવાને વિશેષ સમાગમની પ્રાપ્તિ ન થઈ; ખરેખર, એવા પવિત્ર આત્માની મને બહુ જ ન્યૂનતા થઈ પડી છે. પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ જેવા પવિત્ર પુરુષનુ જે કુળમાં ઉત્પન્ન થવું થયું તે કુળમાં, ગામમાં અને તેવા પુરુષના સમાગમમાં આવતા સામાન્ય મનુષ્યાને પણ પરમાર્થપ્રાપ્તિ થવાની. તેવા પુરુષનું ઉત્કૃષ્ટ નિમિત્ત થયું છે. સહકુટુંબ વ, મૃત્યુના પ્રસંગે સમીપમાં હતું. પણ સર્વાંનાં ચિત્ત પરમ પ્રેમે સૌભાગ્યભાઈની ભક્તિમાં હતાં. છેવટના વખત સુધી એ પુરુષની સમાધિદશા જોઈ સહષ આનંદ વર્તાતા હતા. કેાઈના મનમાં ખેદ કે સ્વાર્થ સંબંધને લીધે મેહાદ્વિ પ્રકારથી રડવું કરવું કાંઈ હતું નહિ. આજ્ઞાનુસાર વવામાં વિશેષ જિજ્ઞાસા હતી. શિષ્ય જેવાં વચનેા ગુરુ પ્રત્યે ગુરુપણાની બુદ્ધિથી વાપરે તેવાં જ વચનેાથી