Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
૨૦૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
www.
દીનપણે પુત્રાદિ વર્તતા હતા. એવા એ પવિત્ર પુરુષની કુટુંબ પ્રત્યેની અનુકંપા અને દયા જેથી કુટુંબ વર્ગનો એ ભક્તિભાવ જોઈ મને એવા પુરુષની એક ખોટ પડી છે એમ વારંવાર સ્મૃતિમાં આવી ખેદ થયા કરે છે. તેમાં વળી પૂજ્યશ્રી સૌભાગ્યભાઈ સાહેબની મારા પ્રત્યેની જે દયા, અનુકંપા અને વળી મારા પ્રત્યેનું અસંગપણું એ મને બહુ જ યાદ આવે છે. મારા જવા પહેલાં જેવી મને મળવાની ઇચ્છા હતી, તેવી મારાથી પોતાની અનુકંપા તો તેવી જ હતી. પણ મારા પ્રત્યે અસંગપણું વિશેષ કરીને પિતાને થયું હતું. હું અ૯પજ્ઞ એવાં અમૂલ્ય રત્નોનું શું વર્ણન કરું ? પણ મને તે પુરુષની બહુ જ ખાટ થઈ પડી. એ હવે મને યાદ આવી મારુ હૃદય ભરાઈ જાય છે. શાકને અવકાશ નથી મનાતા. ભાઈ મણિલાલ પાસેથી ઉપદેશ પત્રો ૫૦ના આશરે આગળના આવેલા હાથ આવવાથી અત્રે લેતો આવ્યો છું તથા આપ કૃપાળુશ્રી તરફથી હાલ પ્રાપ્ત થયેલ ઉપદેશપત્રો ૩—એ રીતે અત્રે લાવ્યો છું. ‘સિદ્ધિશાસ્ત્ર' ભાઈ મણિલાલે હાલ આપ્યું નથી. આપશ્રીની આજ્ઞા થયેથી મેકલાવીશ એમ કહ્યું છે.
હાલ એ જ........... છોરુ કામસેવા ફરમાવશેજી.
અલ્પજ્ઞ પામર અંબાલાલના
ભક્તિભાવે નમસ્કાર,