Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
७८२
મુંબઈ, જેઠ વદ ૧૨ શનિ, સં. ૧૯૫૩
આયશ્રી સાભાગે જેઠ વદ ૧૦ ગુરુવારે સવારે દશને પચાસ મિનિટે દેહ મૂકવાના સમાચાર વાંચી ઘણા ખેદ થયા છે. જેમજેમ તેમના અદ્ભુત ગુણા પ્રત્યે દૃષ્ટિ જાય છે, તેમતેમ અધિક અધિક ખેદ થાય છે.
જીવને દેહના સંબધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે અને તેમાં ઢ મેાહથી એકપણાની પેઠે વર્તે છે. જન્મમરણાદિ સંસારનુ` મુખ્ય બીજ એ જ છે. શ્રી સેાભાગે તેવા દેહને ત્યાગતાં મેાટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયાગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યુ· છે એમાં સ`શય નથી.
વડીલપણાથી તથા તેમના તમારા પ્રત્યે ઘણા ઉપકાર હોવાથી તેમ જ તેમના ગુણાના અદ્દભુતપણાથી તેમના વિયાગ તમને વધારે ખેદકારક થયા છે અને થવા ચેાગ્ય છે. તેમને તમારા પ્રત્યેના સ’સારી વડીલપણાને ખેદ વિસ્મરણ કરી, તેમણે તમારા સર્વે પ્રત્યે જે પરમ ઉપકાર કર્યાં હાય તથા તેમના ગુણાનુ... જે જે અદ્દભુતપણું તમને ભાસ્યુ.. હોય તેને વારંવાર સંભારી, તેવા પુરુષના વિયાગ થયા તેના અંતરમાં ખેદ રાખી તેમણે આરાધવા ચેાગ્ય જે જે વચને અને ગુણા કહ્યાં હોય તેનું સ્મરણ આણી તેના આત્માને પ્રેરવા, એમ તમેા સર્વ પ્રત્યે વિનતિ છે, સમાગમમાં આવેલ મુમુક્ષુઓને શ્રી સેાભાગનું સ્મરણુ સહેજે ઘણા વખત સુધી રહેવા ચેાગ્ય છે.
માહે કરીને જે સમયે ખેદ થાય તે સમયે પણ તેમના ગુણાનુ અદ્ભુતપણું સ્મરણમાં આણી માહથી થતા ખેદ શમાવીને ગુણાના અદ્ભુતપણાના વિરહ થયા તે પ્રકારમાં તે ખેદ પ્રવર્તાવવાના ચાગ્ય છે.
આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સેાભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે.