Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૯૭
અળ
તે વખતે ૧૦ અને ૪૮ મિનિટે પોતે ભાષણ કર્યું તે વખતે ગળફા ખાઈને તૂટક તૂટક શબ્દ. પણ અક્ષર ચેખે બોલાય. પણ જાણે ઇંદ્રિય સાવ મરી ગઈ હોય અને માંહીથી આત્મા જેમ બોલતો હોય તેવી રીતે પરાણે ઉપર કહ્યાં તે વચનો પરમકૃપાભાવે પિતાના મુખમાંથી બહાર કાઢયાં એવી અનંત દયા કરી છે.'
ચાર દિવસ ઉપર રવિવારના દિવસે ભાઈ ચુનીલાલે પૂછયું', આપે ભવનું કાંઈ નક્કી કર્યું ? ” ત્યારે પોતે કહ્યું, ‘‘હા સાહેબજીએ કહ્યું છે કે કેવળજ્ઞાન પ્રાપ્ત થયા વિના મોક્ષ હાય નહિ.
તેથી છેવટને સમયે અત્યારની સ્થિતિ જોતાં અને સાહેબજીની કૃપાથી એક બે મિનિટ જો કેવળજ્ઞાન પ્રાપ્ત થશે તો તો આ જ ભવે મેક્ષ થશે. નહિ તો એક ભવ કરીને તો મોક્ષ જરૂર થશે. ત્યારે મણિલાલે પૂછયું કે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તેની અમને ખબર કેમ પડે ? ત્યારે પોતે કહ્યું કે એક બે મિનિટ જે બની શકશે તો હું તે વખતે જે કહેવાનું હશે તે કહીશ. એવી રીતે વાત કરેલી તે આપની સેવામાં નિવેદન કરું છું. e દુ:ખની સ્થિતિમાં પોતે વખતે ઉપગ ભૂલી જાય એટલા સારુ વખતેવખતે સ્મરણ આપવાનું થતું તો પોતે કહે કે વારેવારે શું કહે છે ? આ જીવને તે બીજુ લક્ષ હાય ? એ જ મારું લક્ષ છે. વળી મૃત્યુના થોડા વખત પહેલાં ગોસળીઆએ બોલાવ્યા, તો પોતે કહ્યું કે હાલ બધા છાનામાના બેસી રહો. વખતેવખતે પિતે ઉરચાર કરે તો હે નાથ ! હે દયાળુ ! પરમાત્મા ! દેવાધિદેવ, સહજાન્મસ્વરૂપ સ્વામી એ જ વચનો કહેતા હતા અને તે જ વચનો જેમ પૂર્વના વિશેષ અભ્યાસયુક્ત કરી મૂક્યાં હોય તેવી રીતે સહેજે પણ મુખથી નીકળતાં હતાં. પોતે ઉપયોગમાં બરાબર વર્તતા હતા. અને વખતે કાંઈ બોલાવે તેથી ઉપયોગથી ચુકાવું પડે તેથી એમના મનમાં ખેદ થતો હશે એમ લાગ્યું હતું. પણ પછી કાંઈ પણ દેવાનું બંધ રાખ્યું હતું અને સમાધિભાવથી વેદવા કીધું હતું. કુટુંબાદિના ભક્તિભાવ ઘણા જ સારા હતા. સેવા કરવા બધાં સારી રીતે અનુરક્ત રહ્યાં હતાં અને મૃત્યુ સુધરે એવી રીતે બધાય આજ્ઞાનુસાર વર્તાતા હતા. તેમ પ્રેમ પણ ધર્મની લાગણીને સારો હતો. સૌભાગ્યભાઈના ઉપદેશથી લાગણી હાલ