Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
સં. ૧૯૫૩ જેઠ સુદ ૧૨
શા, અંબાલાલ લાલચંદ ઠે. જીરાસની પળે, ખંભાત.
સવે શુભેપમા જોગ ભાઈશ્રી અંબાલાલ લાલચંદ
જોગ શ્રી ખંભાત
શ્રી સાયલેથી લિ. ભાગ લલુભાઈના પ્રણામ વાંચશે. આપનું પતું આવ્યું તે પહોંચ્યું. મારું શરીર નરમ રહે છે તે ઉપરથી તમારે અત્રે આવવા નગીનદાસ સાથે સાહેબજીએ કહેવરાવેલ તેથી તમે અત્રે આવવા વિચાર કરેલ, પછવાડેથી તાર આવતાં આપ આળસ્યા. તો હવે લખવાનું કે મારુ શરીર દિન ૧૦ થયા વિશેષ નરમ રહે છે, તેમ દિન બે થયા સાવ થોડું અનાજ ખવાય છે. અશક્તિ ઘણી આવી ગઈ છે. દિન દિન શક્તિ વિશેષ ઘટતી જાય છે. હવે આ દેહ લાંબા વખત ચાલે તેમ સંભવ નથી. તે હવે લખવાનું કે, સાહેબજીની આજ્ઞા હોય અને આપને અને આવતાં કંઈ હરકત ન હોય તે જરૂર પાંચ દહાડા આવવાને વિચાર કરશે. એ જ કામકાજ લખશોજી.
e દ. મણિલાલના પ્રણામ વાંચશોજી