Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
૧૮૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
શ્રી સોભાગને વિચારને અર્થે આ કાગળ લખ્યા છે, તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવા યેાગ્ય છે. | સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે તે ‘મુક્ત” છે.
બીજા સર્વ દ્રવ્યથી અસગપણ, ક્ષેત્રથી અસંગપણુ, કાળથી અસંગાપણું અને ભાવથી અસંગપણ સર્વથા જેને વતે તે ‘મુક્ત છે.”
અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદે ભાસ ત્યાંથી મુક્ત દશા વતે છે તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિવિક૯૫ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.
જે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાને કોઈ પણ સંબંધ ન હતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સત્પુરુષને નમસ્કાર છે.
તિથિ આદિનો વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે.
શુદ્ધ સહજ આત્મસ્વરૂપ.