Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
****************
:
‘સમુચ્ચય વયચર્યાં’
(શ્રીમદ્ રાજચંદ્રે બાવીસ વર્ષની વયે પેાતાના બાળપણનુ વર્ણન સમુચ્ચય વયચર્ચા' નામના આ લેખમાં કયુ` છે. )
સંવત ૧૯૨૪ના કાર્તિક સુદ ૧૫, રવિએ મારા જન્મ હાવાથી આજે મને સામાન્ય ગણતરીથી બાવીસ વર્ષ પૂરાં થયાં. ખાવીસ વની અલ્પ યમાં આત્મા સબધમાં, મન સ``ધમાં, વચન સમધમાં, તન સ`ખંધમાં અને ધન સબંધમાં મે અનેક રંગ દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિરચના, નાના પ્રકારનાં સંસારી મેાજા, અનંત દુઃખનું મૂળ એ બધાંનેા અનેક પ્રકારે મને અનુભવ થયા છે. સમ તત્ત્વજ્ઞાનીએએ અને સમર્થ નાસ્તિકાએ જે જે વિચારા કર્યા છે તે જાતિના અનેક વિચારો તે અલ્પવયમાં મે કરેલા છે. મહાન ચક્રવતીએ કરેલા તૃષ્ણાના વિચાર અને એક નિઃસ્પૃહી મહાત્માએ કરેલા નિઃસ્પૃહાના વિચાર મે' કર્યા છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂખ વિચારી છે. અલ્પવયમાં મહુ વિચારેા કરી નાખ્યા છે. મહદ્ વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સઘળું અહુ ગંભીર ભાવથી આજે હુ દૃષ્ટિ દઈ જોઉં છું તેા પ્રથમની મારી ઊગતી વિચારશ્રેણી, આત્મદશા અને આજને આકાશપાતાળનુ અંતર છે; તેનેા છેડા અને આને છેડા કાઈ કાળે જાણે મળ્યા મળે તેમ નથી. પણ શેાચ કરશેા કે એટલી બધી વિચિત્રતાનુ કાઈ સ્થળે મે' લેખન-ચિત્રણ કર્યું' છે કે નહીં ? તા ત્યાં એટલું જ કહી શકીશ કે એનું લેખન-ચિત્રણ સઘળુ` સ્મૃતિના ચિત્રપટમાં છે. બાકી મે' પત્ર-લેખિનીના સમાગમ કરી જગતમાં દર્શાવવાના પ્રયત્ન કર્યા નથી.* જો કે હું એમ સમજી * મૂળમાં ‘દર્શાવવાનું પ્રયત્ન કર્યું નથી' એમ છે.