Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
૧૫૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
માનતા. દિવસે વેપાર કરતા અને બાળકને સુંદર કેળવણી મળે તેટલા માટે રાત્રિના બાર વાગ્યા સુધી સ્કૂલમાં ભણાવવા જતા. તે અર્થે તેમણે તન અને મનને શ્રમ લઈ નિસ્પૃહ ભાવે સેવા કરી હતી. તેઓ આવા પરોપકારી અને નિરભિમાની હોવાથી કલકત્તામાં ખૂબ પ્રિય થઈ પડયા હતા.
નાનપણમાં તેમણે દક્ષિણામૂર્તિમાં અભ્યાસ કર્યો હતો. સત્યાગ્રહની લડત ચાલી ત્યારે બેત્રણ વખત જેલયાત્રા પણ કરી હતી. તેમને પૂ. ગાંધીજી પ્રત્યે બહુમાન અને અત્યંત આદર હતાં. ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતો તેમને બહુ રુચતા. ગાંધીજીને મૌનને સિદ્ધાંત તેમણે આચરણમાં મૂકેલા.
પિતાની ઇચ્છા વેપારમાં ન જોડાતાં શિક્ષક તરીકે નિસ્વાર્થ બુદ્ધિએ વિદ્યાદાન આપવાની હતી, કેમકે તેમાં સાચાખાટા કરવાનું હોતું નથી, પણ અન્ય વ્યક્તિઓના ચારિત્ર્ય ઘડવાનું હોય છે. પરંતુ કુટુંબીજનો અને ભગવાનલાલભાઈના આગ્રહથી પોતે વેપારમાં જોડાયા. ત્યાં તબિયત નરમ પડી. લીવરના દુખાવા રહેતા. કલકત્તામાં ટૅટરના ઉપચારથી ફેર ન પડવો એટલે મુંબઈ આવ્યા. ત્યાં ડૉક્ટરનો અભિપ્રાય હવાફેર માટે થતાં પોતાના મનમાં તીર્થક્ષેત્રની ભાવના ઘણા વખતની રહેલી એટલે શ્રી વવાણિયા આવ્યા. ત્યાં આવતાં જ જાણે દર્દ શમી ગયું. પેટનો દુખાવો મટી ગયા. શક્તિ અને સ્મૃતિ પણ સારાં રહેતાં. પ્રભુના યોગબળના પ્રતાપ વેદા. મન પણ હળવું ને પ્રફુલ્લિત બન્યું. સ્વાધ્યાય ભક્તિમાં અનેરા ઉત્સાહથી સમય નિગમન થવા લાગ્યા. બાકીનો સમય પોતે ચિંતનમાં ગાળતા. આ વખતે શ્રી જયંતિભાઈનો સાથ એક મેટાભાઈ જેવો પ્રેમપૂર્ણ ને ઘનિષ્ઠ અ. નમ્ર અને માયાળુ સ્વભાવને લઈને શ્રી નાનુભાઈ સૌ મુમુક્ષુઓના પ્રિય થઈ પડયા હતા. પૂ. બાની પ્રત્યે અંતરથી પૂજ્યભાવ અને આદર રાખતા. તેમના મનને સ તેષ આપવો એ પોતાની પ્રથમ ફરજ સમજતા. તેમના શુભાશીર્વાદ એ એમને મન જીવનની કૃતકૃત્યતા હતી. એક દિવસ પૂ. બાએ કહ્યું કે પરમકૃપાળુ દેવની જન્મભૂમિના મહિમા આપણે સૌએ જનતાને સમજાવવો જોઈએ.