Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
૧૬૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
તેર વર્ષની વયથી તેએએ નિયમિત એકાંતમાં નવાનવા વિષયાના અભ્યાસ કરવા માંડયો. પાંદર વર્ષની વયે તે કોઈ અદ્ભુત જ્ઞાન મેળવી લીધું હોય તેમ બધાને લાગવા માંડયું હતું. વસ્તુતઃ તેઓ જન્મથી જ જ્ઞાની હતા. ગામ નાનું હાવાથી સુન્ન મનુષ્યાના સમાગમ અત્યંત અલ્પ થવા પામતા હેાવાથી તેઓના મનમાં પ્રવાસની ઝંખના ઊડ્યા કરતી. તેએ સેાળ વર્ષની ઉમરે મારખીમાં પધાર્યા હતા.
અષ્ટાવધાન જેવી અદ્ભુત સ્મૃતિ-શક્તિવાળા મનુષ્યા બહુ ઘેાડા પ્રમાણમાં જોવા મળે છે. આપણા ભારતમાં એ સમયે માત્ર બે અષ્ટાવધાનીએ પ્રસિદ્ધ હતા ઃ (૧) મેારખીના શાસ્ત્રી શંકરલાલ મહેશ્વર ભટ્ટ અને (૨) મુખઈના ગર્દુલાલજી મહારાજ. આ બંને એ શક્તિને લીધે પૂજ્યરૂપ બની ગયા હતા. ભારતની કરાટેની વસતિમાં જ્યારે આવી અદ્દભુત શક્તિ ધરાવનારા માત્ર એ જ પુરુષા હોય, ત્યારે ખીજા લેાકેાને આશ્ચય ઊપજે એ સ્વાભાવિક છે. એક જ વખતે જુદીજુદી આઠ ખાખતાની ધારણા કરવી અને એકી સાથે આઠેયના ઉત્તર આપવા એનુ' નામ અષ્ટાવધાન આ શક્તિને પ્રભાવ નિહાળી ઘણા નાસ્તિક પણ આસ્તિક થઈ ગયા, અને એ ખંને અષ્ટાવધાનીએ પેાતાના આ શક્તિપ્રભાવ દર્શાવી ભારતની ધર્મસેવા પણ કરી રહ્યા હતા.
ઘણા કાળ પહેલાં થઈ ગયેલાં એક અષ્ટાવધાની માળસરસ્વતી તરીકે લેાકેામાં ખ્યાતિ પામ્યાં હતાં અને તે સમયમાં એ સાક્ષાત્ સરસ્વતી રૂપે જ મનાયાં હતાં એમ ‘ બુદ્ધિપ્રકાશ’માંના એક ઉલ્લેખ પરથી જણાય છે.
રાજા ભેાજના વખતમાં એકપાઠી, મેપાડી, ત્રિપાઠી અને ચાર પાડી—એમ આવી શક્તિવાળા કવિએ દરબારી સભામાં હતા તેવી વાયકા છે. કાઈ પણ નવા કવિ આવીને નવા શ્લાક બેલે તે એકપાઠીને તરત જ યાદ રહી જતા. તે એ પાડી એ વખતમાં યાદ રાખતા તેવીજ રીતે ત્રણ-ચારવાળા અનુક્રમે યાદ કરી લેતા. આવી શક્તિથી રાજા ભેાજ તેઓ પર પ્રસન્ન રહેતા અને ઘણી