Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
દેસાઈ પોપટલાલભાઈ મનજીભાઈ વવાણિયા
પરમકૃપાળુ દેવ સાથેના એક અંગત પરિચય
મારે સાહેબ (શ્રીમદ્ રાજચંદ્ર) સાથે અચપણથી મૈત્રીને સંબંધ હતા, તેમ જ સગાસબંધી તરીકે પણ સખંધ હતેા. તેઓશ્રી ખાળપણથી જ ગામમાં ઘણા હોશિયાર, મહાશાન્ત તથા ઘણા જ વિદ્વાન ગણાતા હતા. ઘણા પુરુષા તેમની પાસે આવતા અને પ્રશ્ન પૂછતા. સાહેબજી તેએાના પ્રશ્નોને ઉત્તર એવે! સરસ આપતા કે જેથી આવેલા પુરુષા શાંત થઈ ને દંડવત્ નમસ્કાર કરી પાછા જતા. આમ તેમના પ્રત્યે કુદરતી ભક્તિભાવ ઉત્પન્ન થતા.
સાહેબજી નાની ઉંમરના હતા, ત્યારે એક વખત કચ્છ રાજ્યના દીવાન મણિભાઈ જસભાઈ એ તેમને કચ્છ પધારવાની વિનતી કરી. તેથી તેએ કચ્છ પધાર્યા હતા અને ત્યાં એક નાનું સુંદર ભાષણ આપ્યું હતું . તેમ જ ધર્મ સંબંધી વ્યાખ્યાન કર્યુ હતું તે ઉપરથી કચ્છવાળા લેાકેાએ વિચાર કર્યા કે આ છે.કરશ આગળ ઉપર મહાપ્રતાપી તેમ જ યશવાળેા થશે. એ કાઈ અદ્ભુત વ્યક્તિ છે.
મારા પિતાશ્રી મનજીભાઈ મારખી ગયેલા. ત્યાં સાહેબજીનાં આઠ અવધાન સંબંધી કેટલીક ચમત્કૃતિ જોઈ ને તાજુબ ખની ગયા હતા. તેઓ રાત્રે વવાણિયા આવ્યા ને ઘેર ન આવતાં તરત જ રવજીભાઈને ત્યાં સીધા ગયા. તેમને ઘરની સાંકળ ઠોકીને ઉઠાડવા. પછી કહ્યું, “ રવજીભાઈ, તમારા દીકરા તે કોઈ દેવતાઈ જાગ્યા! ગજબ કરી નાખ્યું !”