Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
૧૫૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન જwwwwwwwwwwwwww
મોરબીમાં જેઠમલજી નામના સાધુ વિદ્વાન ગણાતા હતા. તેઓએ સાહેબજીને પ્રશ્ન પૂછળ્યા. તે પ્રશ્નના ઉત્તર તેઓશ્રીએ તત્કાળ આપ્યા. સાધુએ વિચાર્યું કે જે આપણી સાથે રહે તો ઘણું સારું થાય. તેથી એક વખત તે સાધુએ કહ્યું, “ આપ આ ઢંઢકમતને દીપાવો.” તેઓએ કહ્યું, “સત્ય વસ્તુ હશે તે જ કહેવાશે.”
આ બધા તેઓશ્રીની નાની ઉંમરના એટલે કે તેર-ચૌદ વર્ષની ઉંમરના હતા ત્યારે બનેલા બનાવો છે.
એક વખત મુસલમાન જાતિના ખાજામેમણ લાકે સાહેબજી પાસે આવ્યા હતા. તેમની સાથે તેઓ મસીદમાં ગયા હતા. ત્યાં સાહેબજીએ તેઓને કહ્યું કે તમારા મહમદ પેગંબર સાહેબે આ પ્રમાણે કહ્યું છે અને તમે આ પ્રમાણે વર્તે છે, તે તમારી ભૂલ છે. તેમનું ધારવું આમ હતું. નમાજનો અર્થ પણ સાહેબજીએ કરી બતાવ્યા હતા.
કેટલાક જૈન લોકે એમ ધારતા કે આ તો કાંઈ બધાથી જુદી જ વાત કરે છે. પણ સાહેબજી તેઓને કહેતા કે મહાવીરે જે પ્રમાણે કહ્યું છે, તે જ પ્રમાણે કહેવાનું છે અને તે સિવાય બીજા કોઈ પ્રકારે માગ મળી શકવાના નથી. અમારે કાંઈ મહાવીર વિરુદ્ધ કહીને અન તો સંસાર વધારવા નથી, વિરુદ્ધ કહીને મને કંઈ મળી જવાનું નથી તેમ જ ધન સંબધી મને જરૂર નથી..
સાહેબજી પતે સવારમાં સ્નાન કર્યા બાદ બે ત્રણ કલાક સુધી સૂત્રો વાંચતા, તે એવી રીતે કે એક પાનું લીધું, બીજુ ફેરવ્યું એમ અનુક્રમે પાનાં ફેરવી જતા. જેમ ટ્રેન ચાલતી હોય તેમ બોલી જતા. વળી સાહેબજીએ માત્ર ગુજરાતીને જ અભ્યાસ કરેલો હતો, છતાં પણ શતાવધાન વખતે ગમે તે ભાષામાં બેલી શકતા તેથી મને ઘણું જ આશ્ચર્ય થતું.
સાહેબજીનું તેજ તેમ જ કડપ, અને એટલાં બધાં હતાં, કે હું કાંઈ દસ વાત પૂછવા આવ્યા હોઉં અગર બીજા કોઈ આવ્યા