Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
૧૪૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
આ પદ યાદ આવતાં તેમાંથી પ્રથમ મધ્ય હે મહાપાત્ર ! વિચારતાં કાલે વાંચ્યું–જેણે જિદ્વાનો રસ છો એટલે જે નીરસ આહાર કરી શકે તેણે જગતને જીત્યુ'. મનમાં પ્રશ્ન થયા કે આ (પ્રાગ) કરું છું તે બરાબર છે? જવાબ મળ્યો કે ખોટાને સાચું કહેવું હોય તે બરાબર છે. ખરો નીરસ આહાર આપણામાં નાનુભાઈ કરે છે. જે વખતે જે મળે તે જરા પણ અરુચિ વગર આરોગી શકે છે. એ ખરા સંયમી છે. તેમની મહત્તા આજે સમજાણી છે. બીજા તમારી બા છે. તેમણે ખરો જિવાનો રસ
જીત્યા છે. તેમને બન્નેને નમન છે. | તમે બહુ જ ભાગ્યશાળી છે અને રહા એ જ પ્રભુ પાસે પ્રાર્થના છે. હમણાં તો “પરમગુરુ ” એ જાપ મનમાં ઘણા વખતથી રહે છે. ઘંટ રવિવારે સવારે ત્રણ સાંભળ્યા અને એક બુધવારે સાંભળ્યો. તેનો રણકાર જુદો જ છે. આ ધામમાં આનંદ છે. અત્યારે મનને જરા પણ ચિંતા નથી. ખૂબ આનંદમાં છું. એ આનંદ કયાં સુધી ટકશે તે ખબર નથી; તે તે પ્રભુ જાણે ! પણ હંમેશ ટકશે એમ લાગે છે. પ્રભુની ઇચ્છા હશે તેમ થશે.
જ્ઞાનીને જોયા જાણ્યા પછી હર્ષ–શેક થાય નહિ. અહીં તે બધું થાય છે. ટબુડીમાં કાંકરા જેવું છે. ગભરામણ થાય છે કે બધા બહુ વખાણે છે અને છે મીડું'. પણ હોય તે જ હોય ને અંદરથી ન આવે ત્યાં સુધી શું ? “ બીજા વખાણે અને અહંકાર આવે તો તે પાછો હઠે” “ પોતાના આત્માને નિંદે નહિ. અલ્ય'તર દોષ વિચારે નહી" તો જીવ લૌકિક ભાવમાં ચાલ્યા જાય. પણ જે પોતાના દેષ જુએ, પોતાના આત્માને નિદે તો સપુરુષના આશ્રયથી આત્મલક્ષ થાય.”
ભગવાનલાલના આશિષ