Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૪૫
wwwwwwwwww
આજકાલ વિદ્યમાન પુરુષોમાં પૂ. બાપુજી (મહાત્માશ્રી ગાંધીજી) ઉત્તમ પુરુષ છે. તેમનું થોડે અંશે પણ ભક્તિનું લક્ષ્ય રાખશે. વધારે નહિ તો “ આત્મકથા’માંથી પાંચ મિનિટ પણ સવે સાથે મળીને સમૂહ વાચન રાખશે. રાત્રે “શ્રી આત્મસિદ્ધિજી’માંથી પંદર વીસ કડીઓ ખૂબ જ શાંતિથી વિચારપૂર્વક બાલવાનું નિયમિત રાખશે. અઢવાડિયે “ આત્મસિદ્ધિજી’ પૂરી બાલાઈ રહે એમ બને તો ગાઠવશે. અનુકૂળતા પ્રમાણે કરશે. ધીરુભાઈને જે ન આવડતી હોય તો ચોપડી આપવી અને બધાએ સાથે બાલવું', બેલાવવાનું રાખવું.
લિ.
ભગવાનલાલના આશિષ
-
પત્ર નં. ૨
તીર્થભૂમિ વવાણિયા
તા. ૭-૯-'૪૫
-
(વવાણિયામાં પર્યુષણ કરવા રોકાયા હતા ત્યારને પત્ર છે) વહાલાં ભાઈ ઓ અને બહેનો,
રાત્રિના જે વિચારો આવેલા તે નીચે પ્રમાણે છે:- . (૧) મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર કરુણા કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર.
ઇચ્છે છે જે જોગી જન, (૨) રોકયા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ
જગત ઇષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ..... (૩) નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણગ નહીક્ષેભ,
મહીપાત્ર તે માર્ગના, પરમ યોગ જિત લોભ. ઇછે..... - " શ્રી. ૧૦