Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૬૫
www.
તેમની તેવી ઉરચ અધિકારિતા જાણીને કૃપાળુદેવે તેમના ર૭ પ્રશ્નોના અવિરોધ સર્વાગ ખુલાસા કર્યા છે તેમ જ બીજા પણ આય- આચાર વિચાર સર્વે થી સુંદર બોધ કર્યો છે તે સૌ મુમુક્ષુને મનનીય છે. | પૃ. બા (ભીત પરનું એક ચિત્ર બતાવીને)- આ ચિત્રપટ શ્રી કાનજી સ્વામીનું છે. શ્રીમદ્જી સંબંધી તેઓના અભિપ્રાય તથા ઉદ્દગારો નીચે પ્રમાણે છે :- “ જેણે પંચમકાળમાં સતધર્મની જાહેરાત કરી અને પોતે અનંત ભવને છેડે કાઢી એક જ ભવ બાકી રહે તેવી પવિત્ર દેશા આત્માને વિષે પ્રગટ કરી તેવા પવિત્ર પુરુષનું અતિ અતિ બહુમાન થવું જોઈ એ. ધન્ય છે તેમને. a “ચોક્કસ કહું છું કે ગુજરાત-કાઠિયાવાડમાં વર્તમાનકાળમાં મુમુક્ષુ જીવોને પરમ ઉપકારી હોય તો તે શ્રીમદ્ રાજચંદ્ર છે. ગુજરાતી ભાષામાં “આત્મસિદ્ધિ ” લખીને જૈનશાસ્ત્રની શોભા વધારી છે. આ કાળમાં તેમના જેવા મહતુ પુરુષ જોયા નથી. તેમના એકેક વચનમાં ઊંડું રહસ્ય છે.
| “ શ્રીમદ્દનું જીવન સમજવા માટે મતાગ્રહથી, દુરાગ્રહથી દૂર રહી એ પવિત્ર જીવનને મધ્યસ્થપણે જેવું જોઈએ. જ્ઞાનની વિશાળ દષ્ટિના ન્યાયથી વિચારવું જોઈએ. તેમની ભાષામાં અપૂર્વ ભાવ ભર્યા છે.'
- શ્રી કાનજી સ્વામી મોટા ભક્તસમુદાય સાથે શ્રી વવાણિયા તીર્થની યાત્રાએ બે વાર પધાર્યા છે. અને વખતે તેમણે ભક્તિઉલ્લાસ સહિત પ્રવચન આપ્યાં છે. બંને વખતે સંસ્થા તરફથી સવે યાત્રાળુઓને જમાડવામાં આવ્યા હતા, અને ખૂબ ઉ૯લાસ સૌએ વેદ્યો હતો.
પૂ. બા (એક છબી બતાવી )- આ વૃદ્ધ તેજસ્વી પુરુષ એક વખતના મોરબીના ન્યાયાધીશ હતા. તેમનું નામ ધારસીભાઈ કુશળચંદ. કૃપાળુદેવ ૧૪-૧૫ વર્ષની ઉંમરે મોરબી પધારેલા
શ્રી. ૫