Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
સ્વ. મણિલાલ ત્રિભોવનદાસ શાહ ભોજનાલય ’,
વિવાણિયા
ડાં, સાહેબ નરોત્તમદાસ ચુનીલાલ કાપડિયાનાં બહેન શ્રી કમળાબહેન મણિલાલ શાહે પરમકૃપાળુ દેવમાં સારી આસ્થા ધરાવે છે. પૂ. ડો. સાહેબના સત્સમાગમથી તેમનામાં પ્રભુ પ્રત્યે ઘણી શ્રદ્ધા પ્રગટી છે અને એ પ્રભુભક્તિને કારણે તેમણે “ શ્રીમદ્ રાજચંદ્ર તત્ત્વ દીપિકા ” નામનું પુસ્તક છપાવીને પ્રથમ આવૃત્તિ મુમુક્ષુએને ભેટ આપી હતી તે પૂર્ણ થતાં બીજી આવૃત્તિ છપાવી પડતર કિંમત કરતાં ઘણી ઓછી કિંમતે વેચવાનું રાખ્યું છે. વવાણિયો ભૂમિમાં તેમના સ્વ. પતિ શ્રી મણિલાલ ત્રિભોવનદાસ શાહના સમરણાથે વિશાળ ભોજનાલય ઘણી મોટી રકમ ખચી" બંધાવી આપ્યું છે. આ રીતે કમળાબહેન મને દરેક ધાર્મિક કાર્યમાં આ તીર્થધામમાં હમેશાં સાથ આપી રહ્યાં છે. તેમની ભક્તિમાં સદા વૃદ્ધિ થાઓ એવી પરમકૃપાળુ દેવ પ્રત્યે અભ્યર્થના છે.