Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૨૩
- આના જવાબમાં તે મહાનુભાવ પુત્રે શું કહ્યું ? “કાકા, આ દેહ મારા થી નહીં', તો મારું બીજું કેણ સગું થવાનું છે કે હું તેને માટે કાંઈ ભલામણ કરુ ? તેમ છતાં તમારી લાગણી સપૂણ છે તે હું જાણું છું.” - યુવાન વયમાં જ્યારે દેહ ટકવાનો નથી એવી પ્રતીતિ થાય છે, ત્યારે જેઓ હળુકમી જ નથી તેને કેવી હાયવલે થઈ જાય તેના દાખલા આપણે અનેક જોઈ શકીએ છીએ. પરંતુ આ બાળ કે જેણે એક જ્ઞાનીને છાજે તેવા ઉદ્દગારો કાઢયા એ તેના જ્ઞાની પિતાનો વારસે જ સૂચવે છે. - સાંજના સાડાપાંચ-છના સુમાર હશે. અમારા એક નિકટના સંબંધી મોરબીના વકીલ શ્રી નવલચંદ ડોસાભાઈ છગનલાલની તબિયત જેવા આવ્યા. તેઓએ દિલાસો આપવા ખાતર કહ્યું, “છગનભાઈ, ગઈ કાલના કરતાં આજ આઠ આની તબિયત વધારે ઠીક લાગે છે.” ત્યારે પોતે કહ્યું, “એ ભૂલ થાય છે. બાપુ (શ્રીમદ્ રાજચંદ્ર) નો દેહ ચૈત્ર વદ પાંચમના રોજ પડયો હતો અને હવે હું નજીક છું' (કારણ કે તે દિવસે ચૈત્ર વદ એકમ હતી).” - ત્યાર બાદ ડૉક્ટર બામ આવ્યા. તેઓએ કહ્યું, “ છગનલાલ, આ કફની દવા છે, તે કફ ભરાય ત્યારે લેશે.” આના જવાબમાં છગનલાલે કહ્યું, “ડૉક્ટર સાહેબ, આ તો થીંગડાં છે; હવે તો મને ક્લોરોફોર્મ જેવી કોઈ દવા આપે છે, જેથી શાંતિની નિદ્રા લઈ શકું. (અર્થાત્ વેદના અનુભવ્યા વિના દેહની પૂર્ણતાને અનુભવ કરું.) - રાત્રિના આઠ વાગ્યે તેની દાદી (દેવબાઈ) તથા તેની બા ( ઝબકભાઈ) તેની પાસે આવ્યાં. તેમને તેણે ઘણા માણસની હાજરીમાં બેત્રણ વખત ફરી ફરી કહ્યું, “મા, મારી વાંસે રોશો નહી".” - દોઢ બે મહિના થયા ઝાડાના વ્યાધિ પિતાનું ભયંકર કામ કરતો હતો. આ મંગળવારને દિવસે સવારથી તે રાત્રિના ત્રણ વાગ્યા સુધીમાં લગભગ ૩૫ ઝાડા થયા હશે. લગભગ ૧૦ વાગ્યાને સુમારે તેને દીઘ શકાએ જવાનું હતું, ત્યારે બીજાની આવશ્યક