Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૨૭
ફોનોગ્રાફમાં શૃંગારી ગાયને હોવાં જોઈ એ એવા ખ્યાલથી તેણે ગામનું ફોનોગ્રાફ મંગાવવાની ના પાડતાં કહ્યું, “ અમદાવાદથી ફોનોગ્રાફ મંગાવે. એમાં બાપુનાં રચેલાં કાવ્યો ઉતારેલાં છે.” (મતલબ કે શ્રીમાન રાજચંદ્રના આત્મા સંબંધીનાં કાવ્યો સાંભળવાની જ તેની વૃત્તિ હતી.) . | ઉત્તમ કુળમાં જન્મ, સતુ સમાગમ અને સત્ શાસ્ત્રનું વાચનશ્રવણ માણસના મન ઉપર કેવી છાપ પાડી શકે છે તે ભાઈ છગનલાલના જીવન ઉપરથી સ્પષ્ટ જણાય છે. ભાઈ છગનલાલનું ચરિત્ર લખવું એ આ લખનારને માટે એક પ્રકારના પામર દિલાસા (poor consolation ) જેવું છે; પરંતુ સમાજને તેમાંથી અનેક પ્રકારે ફાયદો થાય તેમ છે, કારણ કે આ બાળકનું જીવન જે એક ઉત્તમ પિતાના પ્રતાપે આવું સુંદર થઈ શકયું', તે પિતાના વિષે સમાજે “જ્ઞાની” તરીકે આદરભાવ દર્શાવ્યા છે. તેમાં કંઈ ભૂલ કરી નથી એ આ જીવનથી પણ પ્રતીત થયા વિના નહીં રહે.
આવા ભત્રીજાના–પુત્ર કરતાં પણ અધિકતર ભત્રીજાના—વિયાગથી અનેક આશાઓ બાંધનાર કાકાને કેટલું દુઃખ થાય તેના ખ્યાલ વાંચનારને આપવાની કોઈ જરૂર રહે છે ખરી ? - “સારા કામમાં સો વિઘ્ર” એ આપણામાં અતિ પ્રચલિત કહેવત છે. તેને ખરેખરો અનુભવ કેઈને પણ થયા હોય તો, આ લખનારને થયો છે.
જૈન ધર્મમાં અનેક સંપ્રદાય, ગચ્છ ભેદ પડેલા છે અને તેથી વીર પ્રભુના બાધેલા આત્માનું પરમ કલ્યાણ કરનાર માગની અવ્યવસ્થિત સ્થિતિ થઈ ગઈ છે, તે ટાળી સમગ્ર જૈન સમાજના અવિભક્ત જૈનના સંસ્કારો ઉત્પન્ન કરવા માટે ભગવાન વીર પ્રભુ પછી પ્રથમમાં પ્રથમ પ્રયત્ન શ્રી પરમકૃપાળુ રાજચંદ્રજીએ કરેલા. પિતાનો પ્રયત્ન, પોતાની જાહેર રીતે સ્વીકારાયેલી અસાધારણ શક્તિ વડે અમલમાં મૂક્યો. અવિભક્ત જૈનની હિલચાલ હજુ શરૂ કરી ત્યાં જ ૩૬ વર્ષની યુવાન વયે અકાળે શ્રીમદ્ રાજચંદ્રજીનો દેહવિલય થયે. તેઓની અસાધારણ બુદ્ધિનો એક અંશ પણ