Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૨૨
wwwww
માસ તેનું શરીર ટકયુ'. ડોક્ટર અને વૈદ્યો કહેતા કે જો તેણે જીવનઆશા છેાડી ન હેાત, તા દેહ વધારે વખત ટકવાને સંભવ હતા.
આ બે મહિનામાં દિનપ્રતિદિન તાવ, ઉધરસ તથા દસ્ત વધવા લાગ્યાં. આ સમયે તેનુ શરીર નખળું પડતું જતું, તેનુ વજન લગભગ અઢી મણુ હતું તેમાંથી ઘટીને અરધાઅરધ થઈ ગયુ અને તેને બિછાનાવશ થવું પડયું. આ વખતે તે વારંવાર કહેતા કે, “તમારા ઉપકાર હું કત્યારે વાળી શકીશ, કાકા ? તમે બધાં મહેનત શા માટે કરે છે? મારું શરીર ટકવાનુ` નથી. તમે બધાં મારા એકને ખાતર શા માટે દુઃખ ભોગવે છે? હું પાપી અને દુષ્ટ છું કે હું આટલા બધાને દુઃખ આપું છું. કાકા, તમે મારે માટે એવી દવા લાવા કે જેથી મને વેદના ઓછી થાય; કે જેથી હું મારા આત્માને વેદનાને લીધે ભૂલી ન જાઉં. તમે મારા દેહુ અચાવવાની દવાની તજવીજ નકામી કરે છે, એ બધાં થીંગડાં છે.” પેાતે પેાતાના પિતાશ્રીની છબી પેાતાના ખાર મહિનાના મંદવાડ દરમ્યાન પેાતાના બિછાના સામે જ રાખી હતી. અહુ વેદના જણાય ત્યારે તેની સામે જોઈ ધીરજ લેતા. કેટલીક વખત વેદના અસહ્ય હેાય ત્યારે છબી સામે રહી માળા ફેરવતા.
આ પ્રમાણે વારવાર ઉદ્દગારો કાઢચા કરતા હતા. પેાતાના શરીરને જ્યારેજ્યારે કાંઈક વેદનાની શાંતિ થતી ત્યારે ત્યારે “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ વાંચવા માટે તે સૂચના કરતા હતા. તેમાં પણ તેના પિતાએ શરીરને વેદના હાય ત્યારે ત્યારે આત્માએ કેવી શાંતિપૂર્ણાંક તે વેદવી તે સધી લખેલા પત્રા, અનિત્યાદિ ખાર ભાવનું સ્વરૂપ, આત્મા છે, આત્મા નિત્ય છે, એ આદિ છ પદનુ' સ્વરૂપ વંચાવીને અહુ મનનપૂર્વક વિચારતા.
પ્રસગ એવા બનેલા કે દેહત્યાગ પહેલાં આઠેક દિવસે અત્યંત વેદના જણાઈ ત્યારે તેનું શમન થવા માટે મેારખીના એક ગૃહસ્થ ભાઈ પાનાચંદ મેારારજી પાસે પેાતાના પિતાના લખેલા “ આત્મસિદ્ધિશાસ્ત્ર”ના આખા ગ્રંથ મધુર સ્વરે વંચાવ્યેા. ઉપરાંત, “હે પ્રભુ, હે પ્રભુ, શું કહું ?”થી શરૂ થતુ પેાતાના દોષાવલેાકનનું ભક્તિનુ પદ તેમ જ “અપૂર્વ અવસર એવા કત્યારે આવશે?