Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
૯૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન wwwwwwwwwwwww
- “પૂ. બા પાસે જ છે. સમય જુદો છે. પાકિસ્તાન એટલે જાણે પરાયા દેશમાં ઘણી પ્રતિકૂળતા વચ્ચે છે. ચાળીસ વર્ષના સંબંધ! વિચાગનો તાપ અસહ્ય લાગે એવી સ્થિતિ છે. પરમાત્મસ્વરૂપ પિતા શ્રીમદ્જીનાં પુત્રી છે. બાળપણથી પરમાર્થ સંસ્કાર સિંચાતા આવ્યા છે અને તે જ એક માત્ર આ દુઃખદ પળે, આ વિકટ પ્રસંગે આશ્વાસનરૂપ થાય છે.” | ભગવાને કહ્યું છે “...એવી અશરણતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણ છે. સત્પુરુષની વાણી વિના કેાઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં' એમ નિશ્ચય છે....” | “જેની નિરુપાયતા છે ત્યાં સહનશીલતા જ સુખદાયક છે એમ માન્યતા હોવાથી મીનતા છે.” વળી પણ કહ્યું છે :
“સ યોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થશે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. ગમે ત્યારે તેને વિયેાગ નિશ્ચયે છે. પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે કે જે આશ્રયને પામીને જીવે તે ભવે અથવા ભાવિ. એવા થોડા કાળે પણ સ્વરૂપમાં સ્થિતિ કરે.” - “એ પરમ પુરુષ અને તેની વાણીનો આશ્રય પૂ. બાને રહ્યો છે જેને આધારે છેવટ સુધી ખૂબ ધીરજપૂર્વક પ્રભુમરણ રાખ્યા કર્યું છે. તેમણે કુટુંબીજનોને પ્રભુની વાણીનું ‘આત્મસિદ્ધિજી’ની. ગાથાઓ વડે સિંચન આપ્યા કરી પરિણામે શ્રી પ્રભુની સ્મૃતિમાં, એના જ શરણમાં ઉપયોગ રહે તેવી ધર્મ આરાધનાનું મંગળ કાર્ય કર્યું છે, અને એ શુભ આરાધનારૂપ પવિત્ર કાય આ અસહ્ય વિગજનિત તાપમાં ચિત્તને સમાધાનરૂપ અને ઉપશમ આપનાર થયું છે. પૂ. શ્રી ભગવાનલાલભાઈને પરમકૃપાળુ પ્રભુમાં વિશ્વાસ હતો જ. ધમમૂર્તિ પરમકૃપાળુ પ્રભુની છાપ તેમના અંતરમાં હતી જ. ધર્મને નામે સંબંધ, શરણભાવ, એક પરમકૃપાળુશ્રીમાં જ હતો. એના આલબને જીવન ધન્યરૂપ બન્યુ હતું. એ સઘળા વિચારે, અનુભવે પૂ. બાને શેકને સ્થાને ક્રમે કરી સદ્દવિચારને અવલંબને ધમ ધ્યાનમાં ચિત્ત રહ્યું છે.