Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
બુદ્ધિધનભાઈની
પુણ્યસ્મૃતિ
' રણછોડદાસભાઈ એ એટલે કે, બુદ્ધિધનભાઈના દાદાએ, બાળપણથી જ તેમનામાં પરમકૃપાળુ દેવની ભક્તિ તથા શ્રદ્ધાનાં બીજ રોપ્યાં હતાં. તેમનાં પૂ. દાદા અને દાદીમા (મણિબહેન)ને ત્યાં કૃપાળુદેવશ્રી પધાર્યા તે વખતથી એ પરમ પુરુષનાં પુનિત દર્શનસમાગમે તેઓમાં ભક્તિવાત્સલ્યના સંસ્કાર દઢ થયા હતા અને તેથી ઘરમાં પણ સૌને એ ધર્મ સંસ્કાર દેઢ થયા હતા. મને પણ ત્યાં પ્રાપ્ત સંસ્કારને સારું પોષણ મળ્યું, જેથી મારામાં શ્રદ્ધા તથા ભક્તિમાં ઉત્સાહ ઉત્તરોત્તર વધતો જ રહ્યો.
મારા સસરા અને સાસુજીએ અમારાં બધાં બાળકોના સંસકારમય ઉછેરની સારી મહેનત લીધી છે. ભાઈ બુદ્ધિધન ત્રણ વર્ષના હતા ત્યારથી તેઓ તેને પોતાની સાથે જ રાખતાં. વડવા, અગાસ કે અન્ય સ્થળે યાત્રાએ જાય ત્યાં પણ તેને પોતાની સાથે જ લઈ જતાં. પૂ. મોટાંબાને દર વર્ષની કાર્તિકી પૂર્ણિમા, એટલે શ્રી રાજ જયતિદિનના મહોત્સવ પર, વડવા જવાના નિત્યનિયમ હતા. પછી પ્રભુની પ્રતિષ્ઠા વવાણ્યિા “શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન”માં થતાં તીર્થધામ વવાણિયા પધારવાનું રાખ્યું હતું. શારીરિક અનિવાર્ય પ્રતિકૂળતાને કારણે બે પૂનમે વવાણિયા ન થઈ શકી. તેનો ખેદ તેમને બહુ રહેતો.
શ્રીમદ્ રાજપ્રણિત સધર્મ માં માતાપિતા અને દાદા-દાદીમાના સહવાસથી પરમકૃપાળુ દેવની પ્રભુતાની છાપ ભાઈ બુદ્ધિધનના અંતરમાં બાળવયથી જ અંકિત થઈ હતી અને તેને લઈને “શ્રીમદ રાજચંદ્ર જન્મભુવન”ની ઉજજવળ પ્રભાવના રહેવા અર્થે તેના